Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મમતા બૅનરજીનાં ઘરની સલમાન ખાનને શું કામ ઈર્ષા થાય છે?

મમતા બૅનરજીનાં ઘરની સલમાન ખાનને શું કામ ઈર્ષા થાય છે?

07 December, 2023 06:20 AM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં સામેલ થવા માટે સલમાન ખાન પહોંચ્યો હતો. આ કાર્યક્રમ બાર ડિસેમ્બર સુધી ચાલશે. દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

સલમાન ખાન મમતા બૅનરજી સાથે

સલમાન ખાન મમતા બૅનરજી સાથે


કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં સામેલ થવા માટે સલમાન ખાન પહોંચ્યો હતો. આ કાર્યક્રમ બાર ડિસેમ્બર સુધી ચાલશે. દર વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. એ ફેસ્ટિવલની તમામ વ્યવસ્થા પર પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ખાસ ધ્યાન રાખે છે. ફેસ્ટિવલમાં સલમાને જણાવ્યું કે તેને મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની એક બાબતને લઈને ખૂબ ઈર્ષા થઈ આવે છે. તેણે કહ્યું કે ‘મને જ્યારે દીદીના ઘરે ઇન્વાઇટ કરવામાં આવ્યો ત્યારે મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો. મારે ખરેખર એ જોવું હતું કે શું સાચે તેમનું ઘર મારા ઘર કરતાં નાનું છે? મને તેમનું ઘર જોઈને ઈર્ષા થઈ આવી કે તેમનું ઘર તો મારા ઘર કરતાં ખરેખર નાનું છે. શત્રુઘ્ન સિંહા જ્યારે મારા ઘરે આવ્યા ત્યારે તેમને બેસવા માટે કોઈ જગ્યા નહોતી જડતી. એક રૂમ, એક કિચન અને એક બેડરૂમ છે. મને હવે એ વાતની ઈર્ષા થાય છે કે આટલી મોટી પોઝિશન ધરાવતી વ્યક્તિનું ઘર મારા ઘર કરતાં નાનું કઈ રીતે હોઈ શકે. એનાથી જાણ થાય છે કે તેઓ કેટલાં સરળ છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2023 06:20 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK