કન્નડ અભિનેતા ચિરંજીવી સારજાનું નિધન, ફિલ્મજગતને વધુ એક ઝટકો
ચિરંજીવી સારજા
કન્નડ અભિનેતા ચિરંજીવી સારજાએ માત્ર 39 વર્ષની ઉંમરમાં વિશ્વને અલવિદા કહી દીધું છે. હ્રદયના હુમલાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. નોંધનીય છે કે વર્ષ 2020 હજી અડધું માંડ પૂરું થયું છે, પણ અત્યાર સુધી આ વર્ષ ખૂબ જ દુઃખદાયક રહ્યું છે. ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ જરાપણ શુભ સાબિત થયો નથી. કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉનને કારણે સિનેમાઘર બંધ છે. ઇરફાન ખાન અને ઋષિ કપૂર સહિત ઘણાં મોટા કલાકારોએ વિશ્વને અલવિદા કહી દીધું છે. ત્યાક બાદ વધુ એક દુઃખના સમાચાર આવ્યા છે કે ઇન્ડસ્ટ્રીએ પોતાના હજી એક એક્ટરને ગુમાવી દીધું છે.
Popular #Kannada film actor #ChiranjeeviSarja died at a private hospital here following a cardiac arrest, an official said on Sunday. He was 39.
— IANS Tweets (@ians_india) June 7, 2020
Photo: Chiranjeevi Sarja/Instagram pic.twitter.com/ycvp3OQA0W
ADVERTISEMENT
ન્યૂઝ એજન્સી આઇએએનએસ પ્રમાણે, શનિવારે ચિરંજીવીને છાતીમાં દુઃખાવો થયો હતો, તેના સિવાય તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ હતી. 7 જૂન એટલે કે રવિવારે ચિરંજીવીને હાર્ટ અટેક આવ્યો. એવામાં તેમને બૅંગલુરૂના એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. આ હૉસ્પિટલમાં જ અભિનેતાએ પોતાના અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન પછીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. એક્ટર્સ સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Shocked to hear about #chiranjeevisarja ‘s demise!!! Can never forget his smiling face???my deepest condolences to the whole family !!
— Priyamani Raj (@priyamani6) June 7, 2020
પ્રિયામણીએ ટ્વીટ કરીને લખ્યું, 'ચિરંજીવીના જવાના સમાચાર સાંભળીને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો છે. તેમનો હસતો ચહેરો ક્યારેય નહીં ભૂલાય. મારી સહાનુભૂતિ તેમના પરિવાર પ્રત્યે છે.'
Deeply saddened and shocked to hear the passing away of #ChiranjeeviSarja. A young talent gone too soon. Condolences to his family and friends.
— Anil Kumble (@anilkumble1074) June 7, 2020
પ્રિયામણી સિવાય અભિનેતા વિલાસ નાયકે અને ક્રિકેટર અનિલ કુંબલેએ પણ ચિરંજીવીને શ્રદ્ધાંજલિ આપી છે. અનિલે તેમના જવાને ઊંડો આઘાત કહ્યો છે અને તેમના પરિવાર પ્રત્યે સદ્ભાવના વ્યક્ત કરી છે.
Shocking and devastating news of Chiranjeevi Sarja passing away... can’t believe this:( Such a great talent and wonderful person gone too soon... My heart goes out to the family:( RIP
— Vilas Nayak (@VilasNayak) June 7, 2020
નોંધનીય છે કે ચિરંજીવી સારજા કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા હતા. તે એક ફિલ્મી પરિવારમાંથી હતા. તે અભિનેતા ધ્રુવ સારજાના મોટા ભાઈ હતા. સાઉથના એક્શન કિંગ કહેવાતા અર્જુન સારજા તેમના કાકા છે. આ સિવાય દિગ્ગડ અભિનેતા શક્તિ પ્રસાદ ચિરંજીવીના દાદા હતા.


