એનું કારણ એ છે કે તે એ તકિયા પર લાંબા અંતરની ફ્લાઇટમાં ઊંઘી શકે.
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂરને હોટેલમાંથી ક્યારેક તકિયા ચોરી કરવાની ટેવ છે. એનું કારણ એ છે કે તે એ તકિયા પર લાંબા અંતરની ફ્લાઇટમાં ઊંઘી શકે. તેને બાળપણમાં પણ ચોરી કરવાની આદત હતી. એથી તેનાં મમ્મી-પપ્પા શ્રીદેવી અને બોની કપૂરે તેને ઠપકો આપતાં ચોર કહી હતી. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તું કદી હોટેલોમાંથી કંઈ ચોરી કરે છે? તો એનો જવાબ આપતાં જાહ્નવી કહે છે કે તે તકિયા ચોરી કરે છે.
તેને પૂછવામાં આવ્યું કે શું તેના માટે પરમિશન લે છે? તો તેણે જણાવ્યું કે તે ક્યારેક મંજૂરી લઈ લે છે. વધુમાં જાહ્નવી કહે છે, ‘મેં અલગ-અલગ હોટેલોમાંથી તકિયા ભેગા કર્યા છે. હું જ્યારે ઘરેથી તકિયો લઈ જવાનું ભૂલી જાઉં ત્યારે જ હોટેલમાંથી લઉં છું. મારે જ્યારે લાંબા અંતરની ફ્લાઇટ હોય ત્યારે હું એના પર આરામ કરું છું.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)