એ કેસમાં તેની અનેક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પૂછપરછ કરી છે
જૅકલિન ફર્નાન્ડિસ અને સુકેશ ચન્દ્રશેખર
જૅકલિન ફર્નાન્ડિસે ૨૭ જાન્યુઆરીએ દુબઈ જવા માટે પરમિશન માગી છે. દુબઈમાં ૨૭થી ૩૦ જાન્યુઆરી દરમ્યાન આયોજિત પેપ્સિકો ઇન્ડિયા કૉન્ફરન્સમાં તેણે હાજરી આપવાની છે. એ માટે તેણે દિલ્હીની એક કોર્ટમાં અરજી કરી છે. સુકેશ ચન્દ્રશેખરના ૨૦૦ કરોડના મની-લૉન્ડરિંગ કેસમાં જૅકલિનનું નામ સંડોવાયેલું છે. એ કેસમાં તેની અનેક વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પૂછપરછ કરી છે. જોકે જૅકલિને તાજેતરમાં કરેલી અરજી પર ફેંસલો સંભળાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે સમય માગ્યો હતો. હવે જૅકલિનની આ અરજી પર ૨૭ જાન્યુઆરીએ ચુકાદો આપવામાં આવશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)