Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિશ્તોંવાલા પ્યાર મેરે મેં નહીં હૈ : રાધિકા મદન

કિશ્તોંવાલા પ્યાર મેરે મેં નહીં હૈ : રાધિકા મદન

22 September, 2021 12:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની ‘શિદ્દત’ પહેલી ઑક્ટોબરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે

રાધિકા મદન

રાધિકા મદન


રાધિકા મદનનું કહેવું છે કે તે ઇન્સ્ટૉલમેન્ટવાળા પ્રેમમાં તે નથી માનતી. તેની ‘શિદ્દત’ પહેલી ઑક્ટોબરે ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે. એવું કહેવાય છે કે આ તેની લવલાઇફ પર આધારિત છે. આ ફિલ્મમાં તેની સાથે સની કૌશલ, મોહિત રૈના અને ડાયના પેન્ટી લીડ રોલમાં જોવા મળશે. પ્રેમ વિશે રાધિકાએ કહ્યું હતું કે ‘મને હંમેશાં શિદ્દતવાળો પ્રેમ જ થાય છે. એ કાં તો ઝીરો હોય કાં તો પછી ૧૦૦ હોય. એ બન્નેની વચ્ચે નથી હોતો. કિશ્તોંવાલા પ્યાર મેરે મેં હૈ હી નહીં. નાપ-તોલ કે મૈં પ્યાર કર હી નહીં સકતી.’

દરેક પાત્રને તે પ્રામાણિકતાથી ભજવે છે. એ વિશે રાધિકાએ કહ્યું હતું કે ‘હું પાત્રને પૂરી પ્રામાણિકતાથી કરવા માગું છું. હું દરેક કૅરૅક્ટરમાં ૨૦૦ ટકા આપવા માગું છું. હું દરેક કૅરૅક્ટરમાં પૂરી રીતે સમર્પિત થવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2021 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK