Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી પર્સનલ લાઇફ સાથે કોઈને પ્રૉબ્લેમ હોય તો મને એની કોઈ પરવા નથી : સારા અલી ખાન

મારી પર્સનલ લાઇફ સાથે કોઈને પ્રૉબ્લેમ હોય તો મને એની કોઈ પરવા નથી : સારા અલી ખાન

Published : 24 March, 2023 03:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સારા મહાદેવના મંદિરે સતત દર્શન કરવા જાય છે એને લઈને હાલમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી

સારા અલી ખાન

સારા અલી ખાન


સારા અલી ખાને જણાવ્યું કે તેની પર્સનલ લાઇફ સાથે જો કોઈને પ્રૉબ્લેમ હોય તો એની તેને કોઈ પરવા નથી. સારા મહાદેવના મંદિરે સતત દર્શન કરવા જાય છે એને લઈને હાલમાં તેને ટ્રોલ કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં યુઝર્સ તેના પર શાબ્દિક પ્રહાર કરે છે. એક યુઝર્સે લખ્યું કે ‘આપકો ખાન ​પરિવાર મેં રહના હૈ કિ નહીં?’ તો અન્યએ લખ્યું, ‘મુસ્લિમ કબ સે મંદિર જાને લગે...’ આવા અનેક શાબ્દિક પ્રહાર તેના પર કરવામાં આવ્યા હતા. સારા તેની આગામી ફિલ્મ ‘ગૅસલાઇટ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. એ દરમ્યાન સારાએ કહ્યું કે ‘જો દર્શકોને મારા કામની ફરિયાદ હોય તો એ મારો પ્રૉબ્લેમ છે, કારણ કે હું મારા ફૅન્સ માટે કામ કરું છું. જો કોઈને મારી પર્સનલ વસ્તુઓ કે મારી લાઇફસ્ટાઇલથી વાંધો હોય તો મને એની કોઈ પરવા નથી.’


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2023 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK