તેને પૂછવામાં આવ્યું કે તે પોતાના માટે શું ટૅગલાઇન આપવા માગે છે તો રણવીરે આમ કહ્યું
રણવીર સિંહ
રણવીર સિંહનું કહેવું છે કે તે પાણી જેવો છે અને લોકો જેવો ચાહશે એવો આકાર લઈ શકશે. રણવીર હાલમાં બૉલીવુડનો સૌથી વધારે ડિમાન્ડમાં છે. તે અનેક બ્રૅન્ડને એન્ડોર્સ કરે છે. તાજેતરમાં જ પેપર મૅગેઝિન માટે તેણે કરાવેલું ન્યુડ ફોટોશૂટ ચર્ચાનો વિષય બન્યો છે. આ બધાની વચ્ચે પીટાએ તેને લોકોને શાકાહારી બનવાનો સંદેશ આપતાં ફરીથી ન્યુડ થવાનો આગ્રહ કર્યો છે. તેને IAAનો ‘બ્રૅન્ડ એન્ડોર્સર ઑફ ધ યર’નો ખિતાબ આપવામાં આવ્યો છે. દરમ્યાન તેને પૂછવામાં આવ્યું કે તે પોતાના માટે શું ટૅગલાઇન આપવા માગે છે તો રણવીરે કહ્યું કે ‘તમારી જે પણ ઇચ્છા હોય, તમે જે બનાવવા માગો છો હું તે બનીશ. હું પાણી જેવો છું. તમે જે પણ વાસણમાં મને નાખશો, હું એનો આકાર લઈ લઈશ.’