Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મો દ્વારા વિશ્વને જોડવાનું કામ કરવાનું છે, તોડવાનું નહીં : નવાઝુદ્દીન

ફિલ્મો દ્વારા વિશ્વને જોડવાનું કામ કરવાનું છે, તોડવાનું નહીં : નવાઝુદ્દીન

Published : 26 May, 2023 04:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુરાગ કશ્યપે પણ ‘ધ કેરલ સ્ટોરી’ના બૅનને અયોગ્ય જણાવ્યો હતો

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી


નવાઝુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે જો કોઈ ફિલ્મ લોકોની લાગણી દુભાવતી હોય તો એ ખરેખર ખોટું કહેવાય. આ વાત તેણે ફિલ્મને બૅન કરવા વિશે કહી હતી. ‘ધ કેરલ સ્ટોરી’ને કેટલાંક રાજ્યોમાં બૅન કરવામાં આવી છે. એને લઈને અનેક લોકો આ પ્રતિબંધને અયોગ્ય ઠેરવી રહ્યા છે. અનુરાગ કશ્યપે પણ આ બૅનને અયોગ્ય જણાવ્યો હતો. તેની સાથે સહમત થતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ‘હું તેની સાથે સહમત છું. જો કોઈ ફિલ્મ કે નૉવેલ કોઈની લાગણીને ઠેસ પહોંચાડે તો એ ખોટો કહેવાય. દર્શકોને કે તેમની લાગણીને દુભાવવા માટે અમે ફિલ્મો નથી બનાવતા. શાંતિ જળવાઈ રહે અને લોકોમાં પરસ્પર પ્રેમ કાયમ રહે એ સંદેશ આપવા માટે અમે ફિલ્મો બનાવીએ છીએ. એને પ્રોત્સાહન આપવાની અમારી જવાબદારી છે. આ વિશ્વમાં કોઈ વસ્તુનો પ્રતિબંધ ન કરી શકાય. આમ છતાં જો ફિલ્મમાં એવી તાકાત હોય કે તે લોકોને અને સામાજિક શાંતિ ભંગ કરતી હોય તો એ ખરેખર ખોટું છે. આપણે આ ​વિશ્વને જોડવાનું છે, તોડવાનું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK