Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરહાન અખ્તરે મિલ્ખા સિંહના નિધન પર લખી ભાવુક પોસ્ટ, કહ્યું આ...

ફરહાન અખ્તરે મિલ્ખા સિંહના નિધન પર લખી ભાવુક પોસ્ટ, કહ્યું આ...

19 June, 2021 01:59 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મિલ્ખા સિંહની જીંદગી, સંઘર્ષ અને તેમની સિદ્ધીઓને પડદા પર રજૂ કરનાર અભિનેતા ફરહાન અખ્તરે મિલ્ખા સિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.

તસવીરઃ સૌજન્ય AFP

તસવીરઃ સૌજન્ય AFP


ભારતના મહાન એથ્લેટ મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે નિધન થયું છે.  તેમના નિધન પર રાજકીય નેતાએ અને બૉલિવૂડ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.  મિલ્ખા સિંહની જીંદગી, સંઘર્ષ અને તેમની સિદ્ધીઓને પડદા પર રજૂ કરનાર અભિનેતા ફરહાન અખ્તરે મિલ્ખા સિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.  

ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર મિલ્ખા સિંહ સાથેનો ફોટો શેર કરતા લખ્યું કે, સૌથી પ્રેમાળ મિલ્ખા જી, મારો એક હિસ્સો હજી પણ માનવા તૈયાર નથી કે તમે આ દૂનિયા છોડીને જતા રહ્યાં છો. આ એ જ જીદ્દી હિસ્સો છે જે મે તમારી પાસેથી લીધો છે.. એ હિસ્સો  જે કોઈ વસ્તુને મેળવવાનું નક્કી કરી લે તો તેને મેળવ્યા વગર હાર ન માને. સાચુ તો એ છે તમે હંમેશા જીવંત રહેશો.  કારણ કે તમે મોટા મનવાળા માણસ કરતાં વધારે પ્રેમ આપવાવાળા અને જમીન સાથે જોડાયેલ રહેતા માણસ હતાં. 



અભિનેતાએ વધુમાં ઉમેર્યુ કે તમે એક વિચારનું અને સપનાનું  પ્રતિનિધિત્વ કર્યુ છે.  તમારા શબ્દોમાં કહીએ તો  કેવી રીતે મહેનત, સત્યતા અને દ્રઢ  નિશ્ચયથી એક વ્યકિત પોતાના ઘુંટણથી ઉપર ઉઠીને આકાશ સુધી પહોંચી શકે છે.  તમે અમારા બધાની જિંદગીને સ્પર્શ કરી છે.  એ લોકો જે તમને એક પિતા અને દોસ્ત સમાન માનતા હતા, તેમના માટે આ એક આશિર્વાદ હતો અને જે લોકો તમને નહોતા ઓળખતા  તેમના માટે એક પ્રેરણા અને સફળતામાં વિન્રમતાનું ઉદાહરણ હતા. હું તમને ખુબ પ્રેમ કરુ છું. 


ઉલ્લેખનીય છે કે ફરહાન અખ્તરે 2013માં મિલ્ખા સિંહ પર બનેલી ફિલ્મ "ભાગ મિલ્ખા ભાગ" માં તેમનું પાત્ર નિભાવ્યું હતું.  આ ફિલ્મને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી.  આજે પણ આ ફિલ્મને ફરહાન અખ્તરની બેસ્ટ ફિલ્મમાંની એક ગણવામાં આવે છે. 


આ ઉપરાંત અનેક બૉલિવૂડ સ્ટાર્સે મિલ્ખા સિંહના નિધન પર શોક વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.  મહાન અભિનેતા અમિતાભ બચ્ચને પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, " શોક માં... મિલ્ખા સિંહ ચાલ્યા ગયા..ભારતની શાન.. એક મહાન એથ્લેટ.. એક મહાન માણસ..વાહેગુરુની મહેરબાની... પ્રાર્થના."  

અભિનેતા શાહરુખ ખાને ટ્વિટ કરી કહ્યું કે " ધ ફ્લાઈંગ શિખ મિલ્ખા સિંહ શારીરિક રીતે આપણી સાથે નથી પણ  તેમની હાજરી  હંમેશા અનુભવવામાં આવશે, તેમની લેગેસીની ક્યારેય બરાબરી નહીં થઈ શકે.. મારી પ્રેરણા, કરોડોની પ્રેરણા... Rest In peace મિલ્ખા સિંહ સર..."

ખતરોના ખેલાડી અક્ષય કુમારે પણ ટ્વિટર પર મિલ્ખા સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે. 

વિ`દેશી` ગર્લ પ્રિયંકા ચોપડાએ  પોતાના ઈન્સ્ટાગ્રામ પર મિલ્ખા સિંહ સાથે ફોટો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.  

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2021 01:59 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK