મિલ્ખા સિંહની જીંદગી, સંઘર્ષ અને તેમની સિદ્ધીઓને પડદા પર રજૂ કરનાર અભિનેતા ફરહાન અખ્તરે મિલ્ખા સિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.
તસવીરઃ સૌજન્ય AFP
ભારતના મહાન એથ્લેટ મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધન પર રાજકીય નેતાએ અને બૉલિવૂડ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. મિલ્ખા સિંહની જીંદગી, સંઘર્ષ અને તેમની સિદ્ધીઓને પડદા પર રજૂ કરનાર અભિનેતા ફરહાન અખ્તરે મિલ્ખા સિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.
ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર મિલ્ખા સિંહ સાથેનો ફોટો શેર કરતા લખ્યું કે, સૌથી પ્રેમાળ મિલ્ખા જી, મારો એક હિસ્સો હજી પણ માનવા તૈયાર નથી કે તમે આ દૂનિયા છોડીને જતા રહ્યાં છો. આ એ જ જીદ્દી હિસ્સો છે જે મે તમારી પાસેથી લીધો છે.. એ હિસ્સો જે કોઈ વસ્તુને મેળવવાનું નક્કી કરી લે તો તેને મેળવ્યા વગર હાર ન માને. સાચુ તો એ છે તમે હંમેશા જીવંત રહેશો. કારણ કે તમે મોટા મનવાળા માણસ કરતાં વધારે પ્રેમ આપવાવાળા અને જમીન સાથે જોડાયેલ રહેતા માણસ હતાં.
ADVERTISEMENT
અભિનેતાએ વધુમાં ઉમેર્યુ કે તમે એક વિચારનું અને સપનાનું પ્રતિનિધિત્વ કર્યુ છે. તમારા શબ્દોમાં કહીએ તો કેવી રીતે મહેનત, સત્યતા અને દ્રઢ નિશ્ચયથી એક વ્યકિત પોતાના ઘુંટણથી ઉપર ઉઠીને આકાશ સુધી પહોંચી શકે છે. તમે અમારા બધાની જિંદગીને સ્પર્શ કરી છે. એ લોકો જે તમને એક પિતા અને દોસ્ત સમાન માનતા હતા, તેમના માટે આ એક આશિર્વાદ હતો અને જે લોકો તમને નહોતા ઓળખતા તેમના માટે એક પ્રેરણા અને સફળતામાં વિન્રમતાનું ઉદાહરણ હતા. હું તમને ખુબ પ્રેમ કરુ છું.
❤️?? pic.twitter.com/Ti2I457epP
— Farhan Akhtar (@FarOutAkhtar) June 19, 2021
ઉલ્લેખનીય છે કે ફરહાન અખ્તરે 2013માં મિલ્ખા સિંહ પર બનેલી ફિલ્મ "ભાગ મિલ્ખા ભાગ" માં તેમનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. આજે પણ આ ફિલ્મને ફરહાન અખ્તરની બેસ્ટ ફિલ્મમાંની એક ગણવામાં આવે છે.
આ ઉપરાંત અનેક બૉલિવૂડ સ્ટાર્સે મિલ્ખા સિંહના નિધન પર શોક વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મહાન અભિનેતા અમિતાભ બચ્ચને પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, " શોક માં... મિલ્ખા સિંહ ચાલ્યા ગયા..ભારતની શાન.. એક મહાન એથ્લેટ.. એક મહાન માણસ..વાહેગુરુની મહેરબાની... પ્રાર્થના."
T 3940 - In grief .. Milkha Singh passes away .. the pride of India .. a great athlete .. a greater human ..
— Amitabh Bachchan (@SrBachchan) June 19, 2021
Waheguru di Mehr .. prayers ??
અભિનેતા શાહરુખ ખાને ટ્વિટ કરી કહ્યું કે " ધ ફ્લાઈંગ શિખ મિલ્ખા સિંહ શારીરિક રીતે આપણી સાથે નથી પણ તેમની હાજરી હંમેશા અનુભવવામાં આવશે, તેમની લેગેસીની ક્યારેય બરાબરી નહીં થઈ શકે.. મારી પ્રેરણા, કરોડોની પ્રેરણા... Rest In peace મિલ્ખા સિંહ સર..."
The Flying Sikh may no longer be with us in person but his presence will always be felt and his legacy will remain unmatched... An inspiration to me... an inspiration to millions. Rest in Peace Milkha Singh sir.
— Shah Rukh Khan (@iamsrk) June 18, 2021
ખતરોના ખેલાડી અક્ષય કુમારે પણ ટ્વિટર પર મિલ્ખા સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે.
Incredibly sad to hear about the demise of #MilkhaSingh ji. The one character I forever regret not playing on-screen!
— Akshay Kumar (@akshaykumar) June 19, 2021
May you have a golden run in heaven, Flying Sikh. Om shanti, Sir ??
વિ`દેશી` ગર્લ પ્રિયંકા ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મિલ્ખા સિંહ સાથે ફોટો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.