Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૉમેડી હવે મને એક્સાઇટ નથી કરતી : અનુપમ ખેર

કૉમેડી હવે મને એક્સાઇટ નથી કરતી : અનુપમ ખેર

17 September, 2023 07:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુપમ ખેરનું કહેવું છે કે કૉમેડી તેમને હવે એક્સાઇટ નથી કરતી. તેમણે અનેક કૉમેડી રોલ ભજવ્યા છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અનુપમ ખેરનું કહેવું છે કે કૉમેડી તેમને હવે એક્સાઇટ નથી કરતી. તેમણે અનેક કૉમેડી રોલ ભજવ્યા છે. તેમણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘રામ લખન’, ‘હસીના માન જાયેગી’ અને ‘મોહબ્બતેં’માં કૉમેડી રોલ કર્યો હતો. કૉમેડી વિશે અનુપમ ખેરે કહ્યું કે ‘હું માઇન્ડલેસ કૉમેડીને એન્જૉય કરું છું અને એ મને ગમે છે. મેં હાલમાં એક ફિલ્મ ‘શિવ શાસ્ત્રી બલબોઆ’ કરી હતી, જે હવે ડિજિટલ પ્લૅટફૉર્મ પર છે. એ એક કૉમેડી છે. મારું માઇન્ડ મૅચ્યોર થઈ રહ્યું છે, મારે પણ મારી જાતને ચૅલેન્જ આપવી જરૂરી છે. મારે એક્સાઇટ થવું જરૂરી છે. હવેની કૉમેડી મને એક્સાઇટ નથી કરતી.’

જોકે સારો રોલ મળશે તો કૉમેડી કરવા તૈયાર હોવાનું જણાવતાં અનુપમ ખેરે કહ્યું કે ‘જો સારો રોલ આવશે તો હું ખુશી-ખુશી એ રોલ કરીશ. કૉમેડી પ્રત્યેની મારી સ્વાભાવિક પ્રકૃતિ ગંભીર રોલની સરખામણીએ ઘણી વધારે છે.’


17 September, 2023 07:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK