ફિલ્મને પ્રોપગેન્ડા જણાવનારા લોકોને જવાબ આપતાં પ્રિયામણિએ કહ્યું હતું કે ‘કેટલાક લોકો કહેશે કે આ ફિલ્મ તો સજાગતા લાવી રહી છે
પ્રિયામણિ
યામી ગૌતમ ધરની શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’ જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવા પર આધારિત છે. એ ફિલ્મને કેટલાક લોકોએ પ્રોપેગેન્ડા કહેતાં પ્રિયામણિ રોષે ભરાઈ છે. આ ફિલ્મને આદિત્ય સુહાસ જાંભલેએ ડિરેક્ટ કરી છે. ફિલ્મને યામીના હસબન્ડ આદિત્ય ધર, જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મને પ્રોપગેન્ડા જણાવનારા લોકોને જવાબ આપતાં પ્રિયામણિએ કહ્યું હતું કે ‘કેટલાક લોકો કહેશે કે આ ફિલ્મ તો સજાગતા લાવી રહી છે એટલે લોકોએ એની સ્ટોરી જાણવી જોઈએ. તો એક વર્ગ એવો પણ છે જે કહેશે કે આ ફિલ્મ પ્રોપેગેન્ડા છે. અમે જ્યારે આ ફિલ્મ લીધી અથવા તો આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું તો એનું મુખ્ય કારણ એ હતું કે અમે લોકોને જણાવવા માગતા હતા કે ઇતિહાસમાં આવું પણ કંઈ થયું હતું, જેના વિશે લોકોને માહિતી નથી અને તેમને એ વિશે જણાવવું જરૂરી છે. લોકોને આ ફિલ્મ વિશે જાણ હશે, પરંતુ ત્યાંના લોકોને કેટલી તકલીફમાંથી પસાર થવું પડ્યું એની માહિતી નહીં હોય કે આ મિશનને સફળ બનાવવા માટે કેવાં પગલાં લેવામાં આવ્યાં હતાં એની પણ જાણ.’
આ ફિલ્મમાં કામ નહોતું કર્યું ત્યાં સુધી ખરી હકીકત તેને ખબર નહોતી. એ વિશે પ્રિયામણિએ કહ્યું હતું કે ‘હું સૌથી અજાણ વ્યક્તિ હતી. મારા માટે આ ખૂબ અસંવેદનશીલ કહેવાય. અગાઉ મને એ વિશે કોઈ માહિતી નહોતી. મારી જાત વિશે હું વિચારતી હતી કે ઠીક છે સારું થયું એ આર્ટિકલ હટાવવામાં આવ્યો, પરંતુ એની ગંભીરતાની મને જાણ નહોતી. આજે મને ઘણી માહિતી છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)