સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાથી કોઈ ફરક નથી પડતો સની લીઓનીને
સની લીઓની
સની લીઓનીનું કહેવું છે કે તેને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવે તો એનાથી તેને કોઈ ફરક નથી પડતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર તેનાં ફોલોઅર્સ પણ વધુ છે. એક ઇવેન્ટમાં તેને પૂછવામાં આવ્યું હતું કે શું તેની ડ્રેસિંગ સેન્સને લઈને કરવામાં આવતી નિંદાને કારણે તેને ખરાબ લાગે છે? આ સવાલનો જવાબ આપતાં સની લીઓનીએ કહ્યું હતું કે ‘એક સેલિબ્રિટી તરીકે દરરોજ અમને ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ હું એનાં પર ધ્યાન નથી આપતી.
આ પણ વાંચો : પરિણીતી ચોપડા વધુ પડતાં તણાવથી ત્રસ્ત છે
ADVERTISEMENT
હું મારી પસંદનાં કપડાં પહેરુ છું. મને જ્યારે ટી-શર્ટ અને જીન્સ અથવા તો સ્વેટશર્ટ પહેરવાનું મન થાય તો હું એ પહેરું છું. હું એવા કપડાં પહેરું છું જે એ સમયે મને સારા લાગે.’