Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > એક દિલને લઈને આવ્યો છું, હજારો દિલમાં સમાઈને જવાનો છું

એક દિલને લઈને આવ્યો છું, હજારો દિલમાં સમાઈને જવાનો છું

Published : 24 February, 2024 09:28 AM | IST | Mumbai
Laxmi Vanita

૩૦૦થી વધુ રેડિયો નાટક અને પોતાના ‘યઝદી કરં​જિયા ગ્રુપ’ દ્વારા ૬૦થી વધુ હાસ્યનાટકો દેશ-વિદેશમાં રજૂ કરીને લોકોને હસાવવાની સાથે શિક્ષક બનીને યઝદી કરંજિયાએ સુરતના હજારો વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ભણાવીને તેમનું જીવનધોરણ બદલ્યું છે

યઝદી કરં​જિયા, પારસી નાટકોના જીવનદાતા- પદ્‌‍મશ્રી ૨૦૨૦

ભારત ભાગ્ય વિધાતા

યઝદી કરં​જિયા, પારસી નાટકોના જીવનદાતા- પદ્‌‍મશ્રી ૨૦૨૦


અમેરિકાના જાણીતા હ્યુમરિસ્ટ અને નૉવેલિસ્ટ માર્ક ટ્વેઇને કહ્યું છે કે હ્યુમર એ માનવજાતને મળેલા શ્રેષ્ઠ આશીર્વાદ છે. એવા જ આશીર્વાદ લઈને જન્મ્યા છે વલસાડના યઝદી કરં​જિયા. ૧૯૩૭માં જન્મેલા અને હાલ સુરતમાં રહેતા ૮૮ વર્ષના યઝદી કરં​જિયા પારસી નાટકોનો આત્મા છે અને જીવનદાતા તરીકે દેશ-વિદેશમાં જાણીતા છે. તેમનાં નાટકો જોવા રાજ કપૂર અને સંજીવકુમાર આવતા. પરેશ રાવલ અને બમન ઈરાની પણ આ હાસ્યનાટકો જોવાનો મોકો ન ચૂકે એટલાં ફની હોય છે. તેમનાં જાણીતાં નાટકોમાં ‘બહેરામની સાસુ’, ‘કૂતરાની પૂંછડી વાંકી’, ‘ઘર, ઘૂઘરો અને ગોટાળો’, ‘બિચારો બરજોર’, ‘​દિનશાજીના ડબ્બા ગુલ’ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉંમરે પણ તેઓ સ્ટેજ પર લાકડી વગર ભાગદોડ કરીને નાટક કરે છે. ભારતમાં ગુજરાતી નાટકોની શરૂઆતનું શ્રેય પારસીઓના ફાળે છે. પારસી થિયેટરને હજી પણ જીવંત રાખવા બદલ તેમનું યોગદાન અતુલ્ય છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

24 February, 2024 09:28 AM IST | Mumbai | Laxmi Vanita

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK