Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કર્મયોગી નરેન્દ્ર મોદી : માને વિદાય આપ્યા પછી તરત જ ભારત માની સેવાનો આરંભ

કર્મયોગી નરેન્દ્ર મોદી : માને વિદાય આપ્યા પછી તરત જ ભારત માની સેવાનો આરંભ

02 January, 2023 05:03 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્મયોગી છે અને એ જ કારણે તેઓ કર્મને સૌથી આગળ મૂકે છે

હીરાબાની ચિતા સામે શોકમગ્ન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય ગુજરાતી મિડ-ડે)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હીરાબાની ચિતા સામે શોકમગ્ન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય ગુજરાતી મિડ-ડે)


ઘણા એવું કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી કઈ રીતે તેમનાં મધરના અવસાન બાદ તરત જ પોતાના કામ પર લાગી શક્યા. સ્વાભાવિક રીતે મનમાં આવેલો આ વિચાર વાજબી છે અને યોગ્ય પણ છે. તમે કેવી રીતે ધારી શકો કે જે માના પેટે તમે જન્મ લીધો હોય એ માને કાયમી વિદાય આપી ગણતરીના કલાકમાં જ તમે ફરીથી કામે લાગો. હા, આ વિચાર મનમાં આવી શકે, મનમાં જન્મી શકે અને જો તમે કર્મયોગી ન હોત તો તમને આ પ્રકારની વર્તણૂકમાં ક્યાંક ને ક્યાંક નિષ્ઠુરતા પણ લાગે, કહ્યું એમ, જો તમે કર્મયોગી ન હોત તો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્મયોગી છે અને એ જ કારણે તેઓ કર્મને સૌથી આગળ મૂકે છે. બીજી વાત, જો કોઈ એવું ધારતું હોય, એવું માનતું હોય કે નરેન્દ્રભાઈએ પોતાની માતાના અવસાન પછી શોક પાળીને બે-ચાર દિવસ ઘરે રહેવાની જરૂર હતી તો એ તમામ વ્યક્તિઓને કહેવાનું કે નરેન્દ્રભાઈએ આ પગલું માત્ર અને માત્ર મા માટે જ લીધું હતું. હા, એ માટે જેને હીરાબા પોતે ભારત મા કહેતાં.

ભારત મા. મારી, તમારી, આપણા સૌની ભારત મા.



હીરાબાએ પોતાના સપૂત એવા દીકરાને ભારત માને હવાલે કર્યા હતા. એવા સમયે એ દીકરો કેવી રીતે પોતાની માને ભૂલી શકે. એક માની વિદાય વખતે પણ તેમને બીજી મા પ્રત્યેની પોતાની તમામ ફરજ હતી તો સાથોસાથ એ પણ યાદ હતું કે હીરાબાએ જ તેમને ભારત મા તરફની એક પણ જવાબદારી તે ન ચૂકે એના સંસ્કાર આપ્યા હતા.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલાં સગી માને અગ્નિસંસ્કાર આપી તરત જ એ જ માએ શીખવેલા સંસ્કારની દિશામાં આગળ પગલું ભર્યું હતું. સાહેબ, બહુ અઘરું કામ છે. પાડોશમાં પણ કોઈનું મોત થયું હોય એવા સમયે ૨૪-૪૮ કલાક આપણે કામ નથી કરી શકતા. 

આ પણ વાંચો : નો રેઝોલ્યુશન, બસ એ જ રેઝોલ્યુશન : જાતને આ જ વચન આપીને તમારા ૨૦૨૩ને વધાવો


જ્યારે આ તો ઝડપથી જગતને દેખાડ્યું એ માને વિદાય આપવાની વાત હતી. અદ્ભુત અને ઉત્કૃષ્ટ દૃષ્ટાંત નરેન્દ્રભાઈએ જગતને આપ્યું છે. નરેન્દ્રભાઈએ સૌને સમજાવ્યું છે કે કર્મથી આગળ કશું હોતું નથી. કર્મ જ ધર્મ છે અને કર્મને જો શ્રેષ્ઠતમ સ્થાન આપવું હોય તો આ સામે રાખીને ચાલવું પડશે.

નરેન્દ્રભાઈ હૅટ્સ ઑફ. અમે તમારા જેવા થઈ નહીં શકીએ, પણ તમે લીધેલા કર્મની આ ભેખને જીવનમાં ક્યારેય ભૂલી પણ નહીં શકીએ.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 05:03 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK