Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતનો જીડીપીનો ગ્રોથ આ વર્ષે ૭ ટકા ઉપર રહેશે : નીતિ આયોગ

ભારતનો જીડીપીનો ગ્રોથ આ વર્ષે ૭ ટકા ઉપર રહેશે : નીતિ આયોગ

22 December, 2022 03:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બજેટમાં કોઈ નકારાત્મક આશ્ચર્ય ન હોય તો આ સ્થિતિ જોવાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ૭ ટકાથી વધુના દરે વૃદ્ધિ પામે એવી શક્યતા છે. નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ જણાવ્યું હતું કે આગામી વર્ષે
પણ વૃદ્ધિદર ટકાવી રાખવો જોઈએ. જોકે આગામી બજેટમાં કોઈ નકારાત્મક આશ્ચર્ય ન હોય તો આ સ્થિતિ જોવાશે.

પનગઢિયાએ વધુમાં જણાવ્યું હતું કે મંદીની આશંકા થોડા સમયથી છે, પરંતુ અત્યાર સુધી ન તો અમેરિકા કે યુરોપિયન યુનિયન મંદીમાં ગયા છે. 



આ મહિનાની શરૂઆતમાં, આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે એના વૃદ્ધિ અંદાજને અગાઉના ૭ ટકાથી ઘટાડીને ૬.૮ ટકા કર્યો હતો, જ્યારે વિશ્વ બૅન્કે એના જીડીપી વૃદ્ધિ અનુમાનને સુધારીને ૬.૯ ટકા કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે અર્થતંત્ર વૈશ્વિક આંચકાઓ માટે ઉચ્ચ સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.


પનગઢિયાએ જણાવ્યું હતું કે અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા પૉલિસી રેટમાં વધારાને કારણે મૂડીના પ્રવાહને કારણે રૂપિયા પર નોંધપાત્ર દબાણ આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2022 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK