Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > બિઝનેસ સમાચાર > > > ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને ૭ વર્ષના તળિયે પાંચ ટકાએ પહોંચ્યો

ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને ૭ વર્ષના તળિયે પાંચ ટકાએ પહોંચ્યો

30 December, 2022 02:55 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અહેવાલમાં વિગતો બહાર આવી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


આરબીઆઇએ ગુરુવારે જણાવ્યું હતું કે બૅન્કોનો ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને પાંચ ટકાના ૬ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે અને બૅન્કિંગ સિસ્ટમ સુધરી છે તથા કૅપિટલની સ્થિતિ પણ સારી છે.

ફાઇનૅન્શિયલ સ્ટૅબિલિટી રિપોર્ટના ૨૬મા અંકમાં આરબીઆઇએ એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર મંદીનાં જોખમો સાથે ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. બહુવિધ આંચકાઓના આંતરપ્રક્રિયાના પરિણામે નાણાકીય સ્થિતિ કડક થઈ છે અને નાણાકીય બજારોમાં અસ્થિરતા વધી છે એ નિર્દેશ કરે છે.


ભારતીય અર્થતંત્ર મજબૂત વૈશ્વિક અસરનો સામનો કરી રહ્યું છે છતાં મજબૂત મેક્રો ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ્સ અને સ્વસ્થ નાણાકીય અને બિનનાણાકીય ક્ષેત્રની બૅલૅન્સશીટ્સ મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરી રહી છે અને નાણાકીય સિસ્ટમની સ્થિરતા ઊભી કરી રહી છે એમ અહેવાલમાં જણાવાયું છે.


અહેવાલની પ્રસ્તાવનામાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કેન્દ્રીય બૅન્ક વૈશ્વિક જોખમોની અસ્થિર સંભાવનાને ઓળખે છે છતાં એ ભારતીય અર્થતંત્રના મજબૂત મેક્રો ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ્સથી શક્તિ મેળવે છે.


30 December, 2022 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK