ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > બિઝનેસ સમાચાર > > > રીટેલર્સ દ્વારા મોબાઇલ નંબરના આગ્રહ સામે સરકારની લાલ આંખ

રીટેલર્સ દ્વારા મોબાઇલ નંબરના આગ્રહ સામે સરકારની લાલ આંખ

24 May, 2023 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્રાહક બાબતના મંત્રાલય દ્વારા અમુક સર્વિસ માટે વ્યક્તિગત સંપર્ક-વિગતનો આગ્રહ ન રાખવા ઍડ્વાઇઝરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે ગ્રાહક બાબતોના મંત્રાલયે રીટેલર્સને અમુક સર્વિસ આપવા માટે ગ્રાહકોની વ્યક્તિગત સંપર્ક વિગતોનો આગ્રહ ન રાખવાનો
નિર્દેશ આપતી એક ઍડ્વાઇઝરી જારી કરી છે.

ગ્રાહકોની અનેક ફરિયાદને પગલે ઍડ્વાઇઝરી જારી કરવામાં આવી છે. ગ્રાહકોએ ફરિયાદ કરી છે કે જો તેઓ તેમનો સંપર્ક નંબર શૅર કરવાનો ઇનકાર કરે તો ઘણા રીટેલર્સ તેમને સર્વિસ આપતા નથી, એમ તેમણે જણાવ્યું હતું.


વિક્રેતાઓ કહે છે કે જ્યાં સુધી વ્યક્તિગત સંપર્ક વિગતો પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ બિલ જનરેટ કરી શકતા નથી. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આ એક અયોગ્ય અને પ્રતિબંધિત વેપાર પ્રથા છે અને માહિતી એકત્રિત કરવા પાછળ કોઈ તર્કસંગતતા નથી, એમ સેક્રેટરીએ જણાવ્યું હતું.


ગોપનીયતાની ચિંતા પણ છે, એથી ગ્રાહકોના હિતમાં આ મુદ્દાને ઉકેલવા માટે છૂટક ઉદ્યોગ અને ઉદ્યોગ ચેમ્બર સીઆઇઆઇ અને ફિક્કીને સલાહ આપવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

ભારતમાં ગ્રાહકો માટે બિલ જનરેટ કરવા માટે રીટેલરને તેમના મોબાઇલ નંબર આપવાનું ફરજિયાત નથી. જોકે રીટેલરો દ્વારા વ્યવહારો પૂરો કરવા માટે નંબરનો આગ્રહ રાખતા ગ્રાહકોને અણઘડ પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે. મોટે ભાગે ગ્રાહકોને આમાંની ઘણી પરિસ્થિતિઓમાં નાપસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવતો નથી.


24 May, 2023 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK