Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્મૃતિ મંધાના અને પેસ બોલરોએ ભારતને જિતાડી વન-ડે સિરીઝ

સ્મૃતિ મંધાના અને પેસ બોલરોએ ભારતને જિતાડી વન-ડે સિરીઝ

26 February, 2019 12:20 PM IST |

સ્મૃતિ મંધાના અને પેસ બોલરોએ ભારતને જિતાડી વન-ડે સિરીઝ

વાનખેડેની વીર : બીજી વન-ડેમાં ૬૩ રન બનાવનાર ભારતની ઓપનર સ્મૃતિ મંધાના.

વાનખેડેની વીર : બીજી વન-ડેમાં ૬૩ રન બનાવનાર ભારતની ઓપનર સ્મૃતિ મંધાના.


શિખા પાન્ડે અને ઝૂલન ગોસ્વામીએ ૪-૪ વિકેટ લઈને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતની વિમેન્સ ટીમે ઇંગ્લૅન્ડની ટીમને ૩ વન-ડે સિરીઝની બીજી મૅચમાં ૭ વિકેટથી હરાવીને સિરીઝમાં અજેય લીડ લીધી હતી. ટૉસ જીતીને ઇંગ્લૅન્ડની ટીમે ૪ વિકેટ ૪૪ના ટોટલે ગુમાવ્યા પછી નતાલી સ્કાઇવરના ૮૧ રનની મદદથી ૪૩.૩ ઓવરમાં ૧૬૧ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. શિખા પાન્ડેએ ૧૮ રનમાં ૪ અને પ્લેયર ઑફ ધ મૅચ ઝૂલન ગોસ્વામીએ ૩૦ રનમાં ૪ લીધી હતી.

આ પણ વાંચો : વર્લ્ડ કપ બાદ આ ક્રિકેટરો ક્રિકેટને કહી શકે છે અલવિદા



૧૬૨ રનનો સરળ ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ભારતની વિમેન્સ ટીમે જેમાઇમા રૉડ્રિગ્સની વિકેટ બીજી ઓવરમાં ગુમાવી હતી. સ્મૃતિ મંધાનાએ ૭૪ બૉલમાં ૬૩ અને કૅપ્ટન મિતાલી રાજે નૉટઆઉટ ૪૭ રન બનાવીને ટાર્ગેટ ૪૧.૧ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. ત્રીજી અને છેલ્લી વન-ડે ગુરુવારે આ જ ગ્રાઉન્ડમાં રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2019 12:20 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK