ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ બેદાડે પર જાતીય સતામણીનો આરોપ
અતુલ બેદાડે
ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર અતુલ બેદાડે પર બરોડા વિમેન્સ ટીમના પ્લેયરોએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે જેના લીધે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ફેબ્રુઆરી ૨૦૨૦માં હિમાચલ પ્રદેશ અને બરોડા સિનિયર વિમેન્સ ટીમ વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટ દરમ્યાન અતુલે કરેલા ખરાબ વ્યવહારની ફરિયાદ બરોડા ક્રિકેટ અસોસિએશન (બીસીએ)ને કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં વધારે પૂછપરછ કરવા માટે બીસીએની અપેક્સ કમિટી એક નવી પૂછપરછ કમિટી બનાવશે.
અતુલે ભારતીય ટીમ માટે ૧૯૯૪માં ૧૩ વન-ડે મૅચ રમી હતી. જોકે અતુલે પોતાનો પક્ષ મૂકતા તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.