Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારું દિલ બૅન્ગલોર સાથે છે, મારો આત્મા બૅન્ગલોર સાથે છે : વિરાટ કોહલી

મારું દિલ બૅન્ગલોર સાથે છે, મારો આત્મા બૅન્ગલોર સાથે છે : વિરાટ કોહલી

Published : 04 June, 2025 09:13 AM | Modified : 05 June, 2025 06:59 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેં દરેક સીઝનમાં એને જિતાડવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેય વિચાર્યું નહોતું કે આ દિવસ આવશે. મેં મારું સર્વસ્વ આપી દીધું અને એ એક અદ્ભુત અનુભૂતિ છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી


રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સાથે પહેલી સીઝનથી રમનાર વિરાટ કોહલીએ ફાઇનલ જીત્યા બાદ કહ્યું, ‘આ જીત ફૅન્સ માટે પણ એટલી જ છે જેટલી ટીમ માટે છે. ૧૮ વર્ષ થયાં છે. મેં મારી યુવાની, મારું શ્રેષ્ઠ અને મારો અનુભવ આ ટીમને આપ્યો છે. મેં દરેક સીઝનમાં એને જિતાડવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેય વિચાર્યું નહોતું કે આ દિવસ આવશે. મેં મારું સર્વસ્વ આપી દીધું અને એ એક અદ્ભુત અનુભૂતિ છે.’

વિરાટે આગળ ઉમેર્યું હતું કે ‘હું આ ટીમ પ્રત્યે વફાદાર રહ્યો છું. મારી પાસે એવી ક્ષણો હતી જ્યારે મેં અલગ વિચાર્યું, પણ હું આ ટીમ સાથે રહ્યો. હું તેઓ પાછળ ઊભો રહ્યો, તેઓ મારી પાછળ ઊભા રહ્યા અને મેં હંમેશાં તેમની સાથે જીતવાનું સ્વપ્ન જોયું અને આ બીજા કોઈ સાથે જીતવા કરતાં વધુ ખાસ છે, કારણ કે મારું દિલ બૅન્ગલોર સાથે છે, મારો આત્મા બૅન્ગલોર સાથે છે. આ એ ટીમ છે જેના માટે હું IPL રમવાના છેલ્લા દિવસ સુધી રમીશ. હું એવી વ્યક્તિ છું જે મોટી ટુર્નામેન્ટ, મોટી ક્ષણો જીતવા માગે છું અને આ એક એવી તક હતી જે મને મળી નહોતી. આજે રાત્રે હું બાળકની જેમ સૂઈ જઈશ. આ જીત બૅન્ગલોર માટે છે અને એ દરેક પ્લેયર, પરિવાર અને સમગ્ર મૅનેજમેન્ટ માટે પણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2025 06:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK