Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઘરઆંગણે એક વન-ડે સિરીઝમાં સૌથી લોએસ્ટ ઍવરેજ સાથે રમ્યો રોહિત શર્મા

ઘરઆંગણે એક વન-ડે સિરીઝમાં સૌથી લોએસ્ટ ઍવરેજ સાથે રમ્યો રોહિત શર્મા

Published : 20 January, 2026 02:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટ્રાઇક-રેટ અને ૨૦.૩૩ની ઍવરેજથી બૅટિંગ કરીને તેણે આ સિરીઝમાં માત્ર ૨૬ રનનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો. 

રોહિત શર્મા

રોહિત શર્મા


ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં ધૂમ મચાવનાર રોહિત શર્માનું બૅટ ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં શાંત રહ્યું હતું. ૩ મૅચમાં તેણે ૯ ફોર અને બે સિક્સના આધારે માત્ર ૬૧ રન ફટકાર્યા હતા. ૭૬.૨૫ના 
સ્ટ્રાઇક-રેટ અને ૨૦.૩૩ની ઍવરેજથી બૅટિંગ કરીને તેણે આ સિરીઝમાં માત્ર ૨૬ રનનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો. 
ઘરઆંગણે કોઈ પણ વન-ડે સિરીઝ અથવા ટુર્નામેન્ટમાં રોહિત શર્માએ પોતાની સૌથી નીચી ૨૦.૩૩ની બૅટિંગ-ઍવરેજ નોંધાવી હતી. કૉમેન્ટરી દરમ્યાન ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘રોહિત શર્મા જ્યારે રમે છે ત્યારે કંઈક હાંસલ કરવાના ધ્યેય સાથે રમે છે. પછી ભલે એ T20 વર્લ્ડ કપ હોય કે ૫૦-૫૦ ઓવરનો વર્લ્ડ કપ હોય. હાલના પ્રદર્શનને જોતાં હું ફક્ત વિચારી રહ્યો છું કે સાઉથ આફ્રિકામાં ૨૦૨૭નો વર્લ્ડ કપ શું તેનાથી ખૂબ દૂર છે? શું તેનામાં વર્લ્ડ કપ માટે ખરેખર એ ભૂખ છે?’

વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારત માટે હવે ક્યારે રમશે?



વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં ભારત માટે માત્ર વન-ડે ફૉર્મેટમાં રમી રહ્યા છે. ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ બાદ તેઓ હવે ભારત માટે જૂન ૨૦૨૬માં ઘરઆંગણે અફઘાનિસ્તાન સામેની ૩ વન-ડેની સિરીઝમાં રમશે. ત્યાર બાદ ભારતીય ટીમ જુલાઈ ૨૦૨૬માં ઇંગ્લૅન્ડમાં અંગ્રેજ ટીમ સામે ૩ વન-ડે મૅચની સિરીઝ રમવા જશે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK