Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની હિંમત નથી : અજિંક્ય રહાણે

પાકિસ્તાનમાં T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની હિંમત નથી : અજિંક્ય રહાણે

Published : 30 January, 2026 10:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 વર્લ્ડ કપ 2026માંથી બંગલાદેશની ટીમ પોતાની જીદને કારણે બહાર થઈ એ પછી પાકિસ્તાન ટુર્નામેન્ટનો બહિષ્કાર કરે એવી ચર્ચા છે

અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે


ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિશે મોટું નિવેદન આપ્યું છે. T20 વર્લ્ડ કપ 2026માંથી બંગલાદેશની ટીમ પોતાની જીદને કારણે બહાર થઈ એ પછી પાકિસ્તાન ટુર્નામેન્ટનો બહિષ્કાર કરે એવી ચર્ચા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિશે વાત કરતાં અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે તેઓ બહિષ્કાર કરી શકે. મને નથી લાગતું કે તેમની પાસે હિંમત છે.’



પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય સરકાર સાથેની ચર્ચા બાદ ૩૦ જાન્યુઆરી અથવા બીજી ફેબ્રુઆરીએ લેવામાં આવશે.


ડ્રામેબાજ પાકિસ્તાને વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટિકિટ બુક કરાવી લીધી છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ T20 વર્લ્ડ કપ 2026માં એની ભાગીદારીની પુષ્ટિ કરી નથી. જોકે શ્રીલંકાની ટિકિટ બુક થઈ ગઈ છે અને ખેલાડીઓને ટુર્નામેન્ટ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. મેદાનની બહારના નાટક છતાં પાકિસ્તાન શ્રીલંકામાં ભાગ લેવા માટે તૈયાર છે. પાકિસ્તાન ટીમે ઑસ્ટ્રેલિયન ટીમ સાથે લાહોરથી કોલંબો માટે ફ્લાઇટ બુક કરાવી છે. પાકિસ્તાન ૪ ફેબ્રુઆરીએ કોલંબોમાં આયરલૅન્ડ સામે વૉર્મ-અપ મૅચ રમશે.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK