Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રી પદ્‌મનાભસ્વામી મંદિરમાં પરંપરાગત ધોતી પહેરીને ભારતીય ક્રિકેટર્સે કરી પ્રાર્થના

શ્રી પદ્‌મનાભસ્વામી મંદિરમાં પરંપરાગત ધોતી પહેરીને ભારતીય ક્રિકેટર્સે કરી પ્રાર્થના

Published : 31 January, 2026 04:53 PM | IST | Thiruvananthapuram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેરલાના તિરુવનંતપુરમમાં ન્યુ ઝીલૅન્ડ સામે અંતિમ T20 મૅચ રમવા પહોંચેલી સૂર્યા ઍન્ડ કંપનીએ ધાર્મિક વિઝિટ કરવાની તક ઝડપી લીધી હતી. ભારતીય ક્રિકેટ-ટીમના ઓછામાં ઓછા ૭ સભ્યોએ શુક્રવારે સવારે પ્રખ્યાત શ્રી પદ્‌મનાભસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી.

શ્રી પદ્‌મનાભસ્વામી મંદિરમાં પરંપરાગત ધોતી પહેરીને ભારતીય ક્રિકેટર્સે કરી પ્રાર્થના

શ્રી પદ્‌મનાભસ્વામી મંદિરમાં પરંપરાગત ધોતી પહેરીને ભારતીય ક્રિકેટર્સે કરી પ્રાર્થના


કેરલાના તિરુવનંતપુરમમાં ન્યુ ઝીલૅન્ડ સામે અંતિમ T20 મૅચ રમવા પહોંચેલી સૂર્યા ઍન્ડ કંપનીએ ધાર્મિક વિઝિટ કરવાની તક ઝડપી લીધી હતી. ભારતીય ક્રિકેટ-ટીમના ઓછામાં ઓછા ૭ સભ્યોએ શુક્રવારે સવારે પ્રખ્યાત શ્રી પદ્‌મનાભસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી.
કસાવુ મુંડુ એટલે કે કેરલાની સાડીમાં ઉપયોગમાં લેવાતી જરીવાળી ધોતી. મંદિરના આ પરંપરાગત પોશાક કસાવુ મુંડુ પહેરીને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, રિન્કુ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપે આશીર્વાદ લીધા હતા. દક્ષિણ ભારતનાં સૌથી આદરણીય હિન્દુ મંદિરોમાંના એક આ મંદિરમાં ટીમ ઇન્ડિયાના સભ્યોએ લગભગ ૩૦ મિનિટ વિતાવી હતી. આ વિઝિટ દરમ્યાન મંદિરની બહાર ફૅન્સની ભારે ભીડ જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2026 04:53 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK