ખેલાડીઓ, કોચ અને સહયોગી સ્ટાફને સામેલ કરશે. ધ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે આ બાબતે જાહેરાત કરતાં કહ્યું હતું કે આ નિર્ણયને લીધે ૧૩,૦૦૦ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને એનો લાભ મળશે.
કિરેન રિજિજુ
ભારત સરકાર કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ખેલાડીઓના આરોગ્ય વીમાનો વિસ્તાર કરીને વધુ ખેલાડીઓ, કોચ અને સહયોગી સ્ટાફને સામેલ કરશે. ધ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે આ બાબતે જાહેરાત કરતાં કહ્યું હતું કે આ નિર્ણયને લીધે ૧૩,૦૦૦ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને એનો લાભ મળશે. કેન્દ્રીય ખેલ પ્રધાન કિરેન રિજિજુએ પણ આ બાબતે કહ્યું હતું કે ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફની સારસંભાળ મંત્રાલયની પ્રાથમિકતા છે અને આ નિર્ણય એને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ખેલાડીઓ અને અન્ય સ્ટાફ-મેમ્બર્સ એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે અને આ મુશ્કેલ સમયમાં તેમને હેલ્થ ઇન્શ્યૉરન્સ મળે એ આપણે જોવું જોઈએ.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)