Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગાંગુલી-કોહલી-શાસ્ત્રીએ સતત સારું કામ કરતા રહેવું જોઈએ : સચિન તેન્ડુલકર

ગાંગુલી-કોહલી-શાસ્ત્રીએ સતત સારું કામ કરતા રહેવું જોઈએ : સચિન તેન્ડુલકર

22 November, 2019 02:34 PM IST | Kolkata

ગાંગુલી-કોહલી-શાસ્ત્રીએ સતત સારું કામ કરતા રહેવું જોઈએ : સચિન તેન્ડુલકર

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર


સચિન તેન્ડુલકરનું કહેવું છે કે ક્રિકેટની ત્રિપુટીએ સતત સારું કામ કરતા રહેવું જોઈએ. આ ત્રિપુટી એટલે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી, ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને રવવિ શાસ્ત્રી. આ વિશે વધુ જણાવતાં સચિને કહ્યું હતું કે ‘મારું માનવું છે કે આપણી ટીમ હાલમાં સારી પોઝિશનમાં છે. આ સ્ટેજ પર કોઈ પણ ટીમની ટીકા કે અપમાન કર્યા વગર હું એમ કહીશ કે ઇન્ડિયાને ટક્કર આપી શકે એવી બે-ત્રણ જ ટીમ છે. આથી આપણી આ ત્રિપુટી જે કરી રહી છે એ સારું કામ ચાલુ રાખશે તો ક્રિકેટને વધુ આગળ લઈ જશે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ટેસ્ટ મૅચ માટે ડે-નાઇટ જ ઑપ્શન ન હોવો જોઈએ : વિરાટ કોહલી
વિરાટ કોહલીનું કહેવું છે કે ટેસ્ટ મૅચ માટે ડે-નાઇટ ટેસ્ટ એકમાત્ર વિકલ્પ ન હોવો જોઈએ. આજથી શરૂ થઈ રહેલી ઇન્ડિયા-બંગલા દેશ વચ્ચેની પહેલી ડે-નાઇટ ટેસ્ટ ખૂબ જ ચર્ચામાં છે. આ ટેસ્ટને ઐતિહાસિક ટેસ્ટ ગણવામાં આવી રહી છે. જોકે આ વિશે વિરાટ કોહલીનું કહેવું છે કે ‘ટેસ્ટ ક્રિકેટ ફક્ત આ જ રીતે રમવામાં આવે એવું ન હોવું જોઈએ. જો ડે-નાઇટ જ હોય તો સવારના પહેલા સેશનનો ચાર્મ નહીં રહે. તમે ટેસ્ટ ક્રિકેટમાં એક્સાઇટમેન્ટ લાવી શકો છો, પરંતુ ફક્ત એન્ટરટેઇનમેન્ટનો જ સહારો લઈને ટેસ્ટ ન રમી શકાય.’


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2019 02:34 PM IST | Kolkata

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK