Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્મૃતિ માન્ધના છેલ્લી બે મૅચમાં ઝળકશે?

સ્મૃતિ માન્ધના છેલ્લી બે મૅચમાં ઝળકશે?

Published : 28 December, 2025 10:49 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ભારતીય ટીમની આ વાઇસ-કૅપ્ટને ૩ મૅચમાં માત્ર ૪૦ રન કર્યા છે, મૅચનો સમય: સાંજે ૭.૦૦ વાગ્યાથી.

સ્મૃતિ માન્ધના

સ્મૃતિ માન્ધના


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના વન-ડે વર્લ્ડ કપ અને લગ્ન રદ થયા બાદ હાલમાં ખરાબ  ફૉર્મમાંથી પસાર થઈ રહી છે. શ્રીલંકા સામેની T20 સિરીઝની પહેલી ૩ મૅચમાં તેણે ટોટલ ૪૦ રન જ કર્યા છે. પહેલી મૅચમાં તેણે પચીસ બૉલમાં પચીસ રન, બીજી મૅચમાં ૧૧ બૉલમાં ૧૪ રન અને ત્રીજી મૅચમાં ૬ બૉલમાં એક જ રન કર્યો હતો. પહેલી બે મૅચમાં તે કૅચઆઉટ થઈ અને ત્રીજી મૅચમાં LBW આઉટ થઈ હતી.

મૅચ ૧    ૨૫ બા‍ૅલમાં ૨૫
મૅચ ૨    ૧૧ બા‍ૅલમાં ૧૪
મૅચ ૩    ૬ બા‍ૅલમાં ૧



આજે અને ૩૦ ડિસેમ્બરે શ્રીલંકા સામેની સિરીઝની અંતિમ બે મૅચ રમાશે. આ બે મૅચમાં ઓપનર સ્મૃતિ માન્ધના પાસે શાનદાર કમબૅકની તક રહેશે. ૨૦૨૫ની અંતિમ મૅચોમાં ટીમ ઇન્ડિયા પોતાની વાઇસ-કૅપ્ટન પાસે જબરદસ્ત કમબૅકની આશા રાખશે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2025 10:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK