Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પંજાબે પૉઇન્ટ્સ-ટેબલમાં ૧૧ વર્ષ બાદ ૧૪નો આંકડો પાર કર્યો

પંજાબે પૉઇન્ટ્સ-ટેબલમાં ૧૧ વર્ષ બાદ ૧૪નો આંકડો પાર કર્યો

Published : 06 May, 2025 11:38 AM | Modified : 06 May, 2025 12:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫ પૉઇન્ટ સાથે પંજાબની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ફોરમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. એક પણ IPL ટ્રોફી ન જીતનાર પંજાબની ટીમ છેલ્લે ૧૪ પ્લસ પૉઇન્ટ મેળવી શકી હતી. એણે છેલ્લે ૨૦૧૪માં ૧૪ પ્લસ પૉઇન્ટ નોંધાવ્યા હતા.

પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર

પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર


પંજાબ કિંગ્સની ટીમ શ્રેયસ ઐયરની કૅપ્ટન્સીમાં વર્તમાન IPL સીઝનમાં ધૂમ મચાવી રહી છે. એને ૧૧ મૅચમાં સાત જીત અને ત્રણ હાર મળી છે, જ્યારે એક મૅચ વરસાદને કારણે રદ રહી હતી. ૧૫ પૉઇન્ટ સાથે પંજાબની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ફોરમાં સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.


એક પણ IPL ટ્રોફી ન જીતનાર પંજાબની ટીમ છેલ્લે ૧૪ પ્લસ પૉઇન્ટ મેળવી શકી હતી. એણે છેલ્લે ૨૦૧૪માં ૧૪ પ્લસ પૉઇન્ટ નોંધાવ્યા હતા. એ સમયે આ ટીમે ઑસ્ટ્રેલિયાના જ્યૉર્જ બેઇલીની કૅપ્ટન્સીમાં પોતાના હાઇએસ્ટ બાવીસ પૉઇન્ટ મેળવ્યા હતા. ત્યાર બાદ પંજાબની ટીમે ૨૦૧૭ અને ૨૦૨૨માં સૌથી વધુ ૧૪ પૉઇન્ટ જ પ્રાપ્ત કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK