જિયો સિનેમાના એક કાર્યક્રમમાં સુરેશ રૈનાએ ઍન્કરના સવાલનો જવાબ આપતાં કહ્યું કે ધોની નેક્સ્ટ સીઝનમાં પણ રમશે.
મહેન્દ્ર સિંહ ધોની સુરેશ રૈના સાથે
૪૨ વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની કૅપ્ટન્સી સોંપીને સૌને ચોંકાવી દીધા હતા. વાનખેડે સ્ટેડિયમમાં સિક્સરની હૅટ-ટ્રિક કરનાર ધોનીની આ અંતિમ IPL સીઝન માનવામાં આવી રહી છે, પણ ધોનીના મિત્ર સુરેશ રૈનાએ ચોંકાવનારો દાવો કર્યો છે. જિયો સિનેમાના એક કાર્યક્રમમાં સુરેશ રૈનાએ ઍન્કરના સવાલનો જવાબ આપતાં કહ્યું કે ધોની નેક્સ્ટ સીઝનમાં પણ રમશે. દુનિયામાં ફેલાયેલા ધોનીના ફૅન્સ પણ એવી જ આશા રાખી રહ્યા છે કે ધોની IPLની ૧૮મી સીઝનમાં પણ ધમાલ મચાવે.