આચારસંહિતાના ઉલ્લંઘન બદલ વિરાટ કોહલી પર ૫૦ ટકા મૅચ-ફીનો દંડ
IPL 2024
વિરાટ કોહલી
કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હર્ષિત રાણાની ઓવરમાં ફુલટૉસ બૉલ પર વિરાટ કોહલી આઉટ થયો હતો. સોશ્યલ મીડિયા પર ઘણા લોકો એને નો-બૉલ ગણાવી રહ્યા છે. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ પણ વિડિયો જાહેર કરીને પોતાની વાત મૂકી છે. ૬૦ વર્ષના નવજોત સિંહ સિધુએ ૩૫ વર્ષના વિરાટ કોહલી માટે કહ્યું કે ‘હું છાતી ઠોકીને કહું છું કે વિરાટ આઉટ નહોતો. બૉલ બૅટ પર દોઢ ફુટ ઉપર લાગ્યો હતો. હું કહું છું કે નિયમોમાં પરિવર્તન જરૂરી છે.’ વિરાટ કોહલીના મત અનુસાર બૉલ કમરની ઉપર ફેંકવામાં આવ્યો હતો. તેણે આ વિશે મૅચ દરમ્યાન અને મૅચ બાદ પણ અમ્પાયર સાથે ચર્ચા કરી હતી. અમ્પાયર્સના નિર્ણય સામે અસહમતી જાહેર કરવા બદલ વિરાટ કોહલીની ૫૦ ટકા મૅચ-ફી કાપવામાં આવશે.