Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દાનિશ કનેરિયા સાથે ધર્મને લઈને થયેલા ભેદભાવ વિશે ગૌતમ ગંભીરે કહ્યું...

દાનિશ કનેરિયા સાથે ધર્મને લઈને થયેલા ભેદભાવ વિશે ગૌતમ ગંભીરે કહ્યું...

28 December, 2019 01:25 PM IST | New Delhi

દાનિશ કનેરિયા સાથે ધર્મને લઈને થયેલા ભેદભાવ વિશે ગૌતમ ગંભીરે કહ્યું...

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર


પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા સાથે ધર્મને લઈને થયેલા ભેદભાવ વિશે ગૌતમ ગંભીરે કહ્યું હતું કે આ વાતથી તેમની રિયલિટી ખબર પડે છે. ઇન્ડિયાએ જ્યારે સિટિઝનશિપ કાયદો પસાર કર્યો ત્યારે પાકિસ્તાને પણ એનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે ધર્મને નામે આવો ભેદભાવ ન કરી શકાય. જોકે તેમની ક્રિકેટ ટીમને લઈને જે બહાર આવ્યું છે એનાથી ગંભીરે તેમની ધજ્જિયાં ઉડાડી દીધી છે. આ વિશે ગંભીરે કહ્યું હતું કે ‘આ પાકિસ્તાનનો રિયલ ચહેરો છે. અમારી પાસે ટીમમાં મોહમ્મદ અઝહરુદ્દીન કૅપ્ટન તરીકે હતો. તેની કૅપ્ટન્સી હેઠળ અમે ૮૦-૯૦ ટેસ્ટ મૅચમાં રમ્યા હતા. આ પાકિસ્તાનનો ઓરિજિનલ રંગ દેખાડે છે. સ્પોર્ટ્સમૅન ઇમરાન ખાન પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર છે છતાં તેમના દેશના લોકોએ એમાંથી પસાર થવું પડી રહ્યું છે. કનેરિયા પાકિસ્તાન માટે ૬૦ મૅચ રમ્યો છે અને તેની સાથે આ થવું ખૂબ શરમની વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2019 01:25 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK