Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત પચીસ ઓવર સુધી બૅટિંગ કરશે તો સ્કોર ૩૫૦+ સુધી પહોંચી જશે : ગાવસકર

રોહિત પચીસ ઓવર સુધી બૅટિંગ કરશે તો સ્કોર ૩૫૦+ સુધી પહોંચી જશે : ગાવસકર

Published : 07 March, 2025 07:36 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હેડ કોચ ગૌતમ ગંભીર માને છે કે રોહિતનો મોટો પ્રયાસ કરવાનો ઇરાદો ટીમમાં પ્રભાવ પેદા કરે છે, પણ ભારતના મહાન બૅટ્સમૅન સુનીલ ગાવસકર ગંભીર સાથે આ બાબતે અસંમત છે.

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકર


ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના મોટા ભાગના પ્લેયર્સે એક યા બીજી મૅચમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ઓપનર રોહિત શર્મા બૅટ સાથે સારા ફૉર્મમાં નથી. તેણે કેટલીક ઝડપી શરૂઆત કરી છે, પરંતુ એને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યો નથી. હેડ કોચ ગૌતમ ગંભીર માને છે કે રોહિતનો મોટો પ્રયાસ કરવાનો ઇરાદો ટીમમાં પ્રભાવ પેદા કરે છે, પણ ભારતના મહાન બૅટ્સમૅન સુનીલ ગાવસકર ગંભીર સાથે આ બાબતે અસંમત છે.




એક ઇન્ટરવ્યુમાં લિટલ માસ્ટરે કહ્યું કે ‘મેદાન પર આક્રમક રીતે રમવું એ એક અલગ વાત છે, પરંતુ તેનામાં ૨૫-૩૦ ઓવર સુધી બૅટિંગ કરવાની થોડી સમજદારી હોવી જોઈએ.
જો તે આવું કરે તો તે વિરોધી ટીમ પાસેથી ગેમ છીનવી લઈ શકશે. એક બૅટ્સમૅન તરીકે શું તમે ૨૫-૩૦ રન બનાવીને ખુશ છો? એથી હું તેને કહીશ કે જો તમે ફક્ત સાત, આઠ કે નવ ઓવરને બદલે પચીસ ઓવર સુધી બૅટિંગ કરશો તો ટીમ પર તમારી અસર વધુ પડશે. જો રોહિત પચીસેક ઓવર સુધી પિચ પર ટકી શકે તો ભારત ૫૦ ઓવરમાં ૩૫૦+ રન સુધી પહોંચી શકે છે.’


ચૅમ્પિયન્સ ટ્રોફીમાં
રોહિત શર્માનું પ્રદર્શન

બંગલાદેશ

૩૬ બૉલમાં ૪૧ રન

પાકિસ્તાન

૧૫ બૉલમાં ૨૦ રન

ન્યુ ઝીલૅન્ડ

૧૭ બૉલમાં ૧૫ રન

ઑસ્ટ્રેલિયા

૨૯ બૉલમાં ૨૮ રન

 


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2025 07:36 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK