ભારતીય ટીમ માટે એક મોટા રાહતના સમાચાર છે. લાંબી ટૂરને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ બાદ ૨૦ દિવસ બાયો-બબલ્સની કેદમાંથી મુક્તિ મળશે
ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ
ભારતીય ટીમ માટે એક મોટા રાહતના સમાચાર છે. લાંબી ટૂરને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ બાદ ૨૦ દિવસ બાયો-બબલ્સની કેદમાંથી મુક્તિ મળશે. ૨૨મીએ કે ૨૩મી જૂને ફાઇનલ પત્યા બાદ ૨૪મી જૂને છૂટા થઈને ફરી પાછા ૧૪મી જુલાઈએ ભેગા થશે.
ટીમ-મૅનેજમેન્ટના આ નિર્ણય વિશે જાણકાર સૂત્રએ એક એજન્સીને જણાવ્યું હતું કે ભારતીય ટીમ માટે આ ખૂબ જરૂરી બ્રેક બની રહેશે, કેમ કે ત્યાર બાદ તેઓ ઇંગ્લૅન્ડ સામે પાંચ ટેસ્ટની સિરીઝ અને ત્યાર બાદ તરત જ આઇપીએલ અને ટી૨૦ વર્લ્ડ કપ રમવાના છે.
ADVERTISEMENT
આ બ્રેક દરમ્યાન ખેલાડીઓને જ્યાં કોરોનાકેસ ન હોય અથવા નહીંવત્ હોય એવા જ વિસ્તારમાં જવાની છૂટ મળશે અને હા, તેઓ ઇંગ્લૅન્ડની બહાર નહીં જઈ શકે.