બૅન્ગલોર અને કૃષ્ણગિરિને જોડતા હાઇવે પર આવેલા આ મંદિરમાં ભાવિકોને આપવામાં આવેલા પ્રસાદમાં સાપનું બચ્ચું નીકળ્યું હતું.
ચંદ્રચૂડેશ્વર મંદિર
તામિલનાડુના હોસુર શહેરમાં આવેલું ચંદ્રચૂડેશ્વર મંદિર ૮૦૦ વર્ષ જૂનું છે. પૌરાણિક મહત્ત્વ ધરાવતા આ મંદિરમાં રોજ હજારથી વધુ લોકો દર્શન કરવા આવતા હોય છે. બૅન્ગલોર અને કૃષ્ણગિરિને જોડતા હાઇવે પર આવેલા આ મંદિરમાં ભાવિકોને આપવામાં આવેલા પ્રસાદમાં સાપનું બચ્ચું નીકળ્યું હતું. ભાવિકોએ મંદિર મૅનેજમેન્ટને આ બાબતે ફરિયાદ કરી તો તેમના તરફથી સાવ ઉડાઉ જવાબ મળ્યો હતો.

