Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તંત્રમંત્રના રવાડે ચડીને દાદાએ ૧૭ વર્ષના પૌત્રની હત્યા કરી નાખી

તંત્રમંત્રના રવાડે ચડીને દાદાએ ૧૭ વર્ષના પૌત્રની હત્યા કરી નાખી

Published : 29 August, 2025 01:57 PM | Modified : 30 August, 2025 07:48 AM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શરણ સિંહના દીકરા અને દીકરીએ આત્મહત્યા કરી એ પછી તે તાંત્રિકના રવાડે ચડી ગયા હતા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરણ સિંહ નામના ભાઈએ તાંત્રિકની સલાહ પર પોતાના જ ૧૭ વર્ષના પૌત્ર પીયૂષની હત્યા કરી દીધી હતી. મંગળવારે પીયૂષ સ્કૂલ માટે ઘરેથી નીકળ્યો એ પછી પાછો નહોતો આવ્યો. પોલીસે ખોવાયેલા ટીનેજરની તપાસ કરતાં એક ઇન્ડસ્ટ્રિયલ એરિયાના નાળામાંથી તેનું ધડ મળ્યું હતું અને બીજા દિવસે છેક બીજા જ ગામથી તેનું માથું મળ્યું હતું. શરણ સિંહના દીકરા અને દીકરીએ આત્મહત્યા કરી એ પછી તે તાંત્રિકના રવાડે ચડી ગયા હતા. તાંત્રિકે તેમને કહ્યું હતું કે હકીકતમાં પૌત્ર પીયૂષનું મૃત્યુ થવાનું હતું, પણ એને બદલે બીજા પરિવારજનોએ આત્મહત્યા કરી હતી. જો પીયૂષ નહીં મરે તો બીજા પરિવારજનો પર પણ ખતરો છે એવું તેના મનમાં ઠસી જતાં શરણ સિંહે પૌત્રનો બલિ ચડાવી દીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2025 07:48 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK