જોકે ઇન્દોરના રાજમોહલ્લા ચાર રસ્તા પર ભારે વરસાદની વચ્ચે એક દુલ્હો ઘોડી પર એકલો પસાર થઈ રહ્યો હતો. તેની આજુબાજુમાં માત્ર ૪ લોકો હતા, પરંતુ એય અજનબી હતા.
કોઈ સગાંસંબંધી કે દોસ્તો વિના દુલ્હાએ એકલો જ વરઘોડો કાઢ્યો
વરઘોડો એટલે વરરાજા ઘોડા પર સવાર હોય અને સાથે જાનૈયાઓ નાચતા-ગાતા હોય. જોકે ઇન્દોરના રાજમોહલ્લા ચાર રસ્તા પર ભારે વરસાદની વચ્ચે એક દુલ્હો ઘોડી પર એકલો પસાર થઈ રહ્યો હતો. તેની આજુબાજુમાં માત્ર ૪ લોકો હતા, પરંતુ એય અજનબી હતા. એક છોકરો તેની ઘોડી દોરી રહ્યો હતો, બે ઢોલવાળા હતા અને એક વ્યક્તિએ દુલ્હા પર છત્રી પકડી રાખી હતી. ઘોડાની આગળ એક નાની લારી પણ ચાલી રહી હતી જેના પર મૂકેલી મ્યુઝિક-સિસ્ટમ પર ‘પલ પલ ના માને ટિન્કુ જિયા...’ ગીત વાગી રહ્યું હતું. દેખીતી રીતે આ વરઘોડો જ હતો, પરંતુ એમાં માત્ર વર જ ઘોડા પર હતો, તેની સાથે કોઈ જાનૈયાઓ હતા જ નહીં. શું આ દુલ્હો એકલો જ પરણવા નીકળ્યો હતો કે પછી વરસાદને કારણે જાનૈયાઓ ગાયબ થઈ ગયા અને દુલ્હો એકલો જ ઘોડી પર રહી ગયો?
