Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રૉપર્ટીની લાલચમાં દીકરાએ કરી નાખ્યું જીવતા પિતાનું ક્રિયાકર્મ

પ્રૉપર્ટીની લાલચમાં દીકરાએ કરી નાખ્યું જીવતા પિતાનું ક્રિયાકર્મ

Published : 02 February, 2026 01:06 PM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિતાએ જ્યારે પોલીસમાં જઈને ફરિયાદ કરી ત્યારે આ ઘટના સામે આવી હતી. મામચંદનું કહેવું છે કે બે વર્ષ પહેલાં તેમની પત્નીનું નિધન થઈ ગયું હતું

મામચંદભાઈ

અજબ ગજબ

મામચંદભાઈ


હરિયાણામાં ભગવાનપુર ગામમાં એક દીકરાએ પિતાની પ્રૉપર્ટી હડપી લેવા માટે પિતાને જીવતેજીવ મારી નાખ્યા. મતલબ કે તેમને સરકારી ચોપડા પર મૃત જાહેર કરી દીધા. આ માટે તેમણે પિતા મામચંદભાઈનું ક્રિયાકર્મ પણ કરી નાખ્યું અને હરિદ્વારમાં પંડિતોના રજિસ્ટરમાં પણ નામ લખાવીને કામ તમામ કરી નાખ્યું. પિતાએ જ્યારે પોલીસમાં જઈને ફરિયાદ કરી ત્યારે આ ઘટના સામે આવી હતી. મામચંદનું કહેવું છે કે બે વર્ષ પહેલાં તેમની પત્નીનું નિધન થઈ ગયું હતું. તેમના બે દીકરાઓ મહેશ અને ભૂષણ તેમ જ દીકરીનાં લગ્ન થઈ ચૂક્યાં છે. બન્ને દીકરાઓને અલગ-અલગ મકાન બનાવી આપ્યાં હતાં. પિતાનું કહેવું છે કે મોટો દીકરો મહેશ પિતા જે ઘરમાં રહેતા હતા એ ઘર પણ હડપવા માગતો હોવાથી આમ કર્યું હતું. જોકે દીકરા મહેશનું કહેવું છે કે ‘પિતાને દારૂ પીવાની આદત છે અને કોઈ મહિલા સાથે તેમના સંબંધ છે. તેની સાથેના ફોટોગ્રાફ્સ પણ ઇન્ટરનેટ પર મૂકે છે. તેઓ કોઈ અજાણી મહિલા સાથે સોશ્યલ મીડિયા પર તસવીરો શૅર કરતા હોવાથી સમાજમાં બદનામી થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 01:06 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK