રવિવારે મોટી સંખ્યામાં શહેરના શ્વાનોને નસબંધી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા
આ વિડિયો વાઇરલ થતાં કેટલાક લોકોએ એને પ્રાણીઓ પ્રત્યેનું સન્માન ગણાવ્યું
છત્તીસગઢના જગદલપુરમાં નગરપાલિકાએ રખડુ કૂતરાઓની સંખ્યા નાથવા માટે નસબંધી અભિયાન હાથ ધર્યું હતું. જોકે આ અભિયાનમાં શ્વાનો સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો એની ચર્ચા થઈ રહી છે. રવિવારે મોટી સંખ્યામાં શહેરના શ્વાનોને નસબંધી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. અહીં તેમના પર મેડિકલ પ્રોસેસ કરવામાં આવે એ પહેલાં તેમને કંકુનું તિલક લગાવ્યું અને બધાની આરતી ઉતારીને પૂજા કરવામાં આવી હતી. આ વિડિયો વાઇરલ થતાં કેટલાક લોકોએ એને પ્રાણીઓ પ્રત્યેનું સન્માન ગણાવ્યું તો કેટલાકને આ મજાક લાગી. જોકે જગદલપુર નગરપાલિકાએ પ્રાણીપ્રેમીઓનાં દિલ જીતી લીધાં હતાં.
