Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઘાટકોપરની નિર્માણાધીન ઇમારત પર પ્રગટ થયા ગણપતિ બાપ્પા, લાઇટ્સ સાથે અનોખી ઉજવણી

ઘાટકોપરની નિર્માણાધીન ઇમારત પર પ્રગટ થયા ગણપતિ બાપ્પા, લાઇટ્સ સાથે અનોખી ઉજવણી

Published : 04 September, 2025 07:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગણેશ ઉત્સવની આ રીતે ઉજવણી કરી બાપ્પાને શ્રદ્ધાંજલી આપવા આ લાઇટ કરવામાં આવી હતી, જે તહેવાર ખાસ કરીને મુંબઈગરાઓ પૂરા દિલથી ઉજવે છે. આ પ્રદર્શન મુંબઈકરોનો ભગવાન ગણેશ સાથેનો સાંસ્કૃતિક જોડાણ જ નહીં, પણ ટૅકનોલૉજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ છે.

લાઇટ્સના ઉપયોગથી બનાવ્યા ગણપતિની (તસવીર: X)

લાઇટ્સના ઉપયોગથી બનાવ્યા ગણપતિની (તસવીર: X)


મુંબઈમાં ગણેશોત્સવની ધૂમ શરૂ જ છે. વિવિધ ડેકોરેશન સાથે ગણપતિ બાપ્પાની સુંદર મૂર્તિઓ અને પંડાલ સાથે ધામધૂમથી તહેવારની ઉજવણી શહેરના દરેક ભાગોમાં થઈ રહી છે. આ દરમિયાન મુંબઈના ઘાટકોપર ગણેશોત્સવની એક અનોખી ઝલખ જોવા મળી. કારણ કે આ ઉજવણી કોઈ બાપ્પાની મુર્તિ સાથે નહીં પણ પણ અંડર કન્સ્ટ્રક્શન ઇમારતમાં લાઇટ સાથે કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ અનોખી ઉજવણીની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ક્રિએટિવિટીના લોકો વખાણ કરી રહ્યા છે.

એક નેટીઝને સોશિયલ મીડિયા પર ઘાટકોપરની એક નિર્માણાધીન ઇમારતની તસવીર શૅર કરી છે, જે ગણેશોત્સવ 2025 દરમિયાન ભગવાન ગણેશના ચહેરાના આકારમાં લાઇટિંગ કરી ઉજવણી કરી રહી છે. આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને બતાવે છે કે લોકો મુંબઈના પ્રિય તહેવારની ઉજવણી કરવા અને બાપ્પાની પૂજા કરવા માટે કેવી રીતે નવીન અને સર્જનાત્મક રીતો શોધી રહ્યા છે.



એક X યુઝર @tmane54 એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મંત્રમુગ્ધ કરનારી તસવીર પોસ્ટ કરી છે, જે હવે વાયરલ થઈ રહી છે. સ્વસ્તિકના આકારમાં લાઇટિંગથી પ્રકાશિત કરેલી એક નિર્માણાધીન ઇમારતની સમાન પોસ્ટનો જવાબ આપતી વખતે, બીજા એક X યુઝરે લાઇટિંગ વડે ગણપતિ બાપ્પાના ચહેરા જેવો આકાર બનાવવામાં આવ્યો હોવાની બીજી એક ઇમારતની તસવીર શૅર કરી હતી. x વપરાશકર્તાએ લખ્યું, "મુંબઈના ઘાટકોપરમાં આ જોયું."


અહીં જુઓ વાયરલ પોસ્ટ


આ પોસ્ટ @ayotarun દ્વારા શૅર કરવામાં આવી હતી, જેના કેપ્શનમાં લખ્યું છે, "તેઓએ ગણપતિ ઉજવણી માટે આ બાંધકામ હેઠળની ઇમારતને આ રીતે લાઇટિંગ કરી છે. લોકો ક્રિએટિવ બને ત્યારે તે ખૂબ જ ગમે છે."

લાઇટિંગથી બનાવ્યો ભગવાન ગણેશનો ચહેરો

ગણેશ ઉત્સવની આ રીતે ઉજવણી કરી બાપ્પાને શ્રદ્ધાંજલી આપવા આ લાઇટ કરવામાં આવી હતી, જે તહેવાર ખાસ કરીને મુંબઈગરાઓ પૂરા દિલથી ઉજવે છે. આ પ્રદર્શન મુંબઈકરોનો ભગવાન ગણેશ સાથેનો સાંસ્કૃતિક જોડાણ જ નહીં, પણ ટૅકનોલૉજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ દર્શાવે છે. આ પ્રકારની લાઇટિંગ ગોઠવણી માટે ડિઝાઇન, આયોજન અને અમલીકરણમાં ચોકસાઈની જરૂર છે, કારણ કે ઇમારતના માળખામાં બાપ્પાના ચહેરાનું  લાઇટ વડે દ્રશ્ય બનાવવા માટે ચોક્કસ બિંદુઓ પર લાઇટ સ્ટ્રીપને સમાવવાની જરૂર છે. દર્શકો માટે, ખાસ કરીને રાત્રે, આ દૃશ્ય એવું લાગે છે કે જાણે બાપ્પા પોતે આકાશમાંથી શહેરને આશીર્વાદ આપી રહ્યા હોય.

ગણેશોત્સવ બાદ હવે ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ શરૂ

10 દિવસનો ગણેશોત્સવ હવે 6 સપ્ટેમ્બર 2025ના અનંત ચતુર્થીના દિવસે સમાપ્ત થઈ જશે. બાપ્પાના વિસર્જન માટે મુંબઈમાં તૈયારીઓ ચાલી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2025 07:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK