ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ પાંચમા ધોરણનો કિસ્સો કહ્યો...
લાઇફ મસાલા
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે બાળકો સાથે કેવું વર્તન ન કરવું જોઈએ એ માટે પોતાનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું. સુપ્રીમ કોર્ટ ઑફ નેપાલ દ્વારા આયોજિત જુવેનાઇલ જસ્ટિસ વિશેના સેમિનારમાં ચંદ્રચૂડે પાંચમા ધોરણનો એક કિસ્સો કહી સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે ‘એક વખત હું ક્રાફ્ટના ક્લાસમાં યોગ્ય આકારની સોય લઈ જવાનું ભૂલી ગયો હતો અને મારી એ નાની ભૂલ માટે શિક્ષકે મારા બન્ને હાથ પર સોટી ફટકારી હતી. હું તેમને આજીજી કરતો રહ્યો કે મને હાથને બદલે બમ પર મારો, પણ ટીચરે મારી વાત સાંભળી નહોતી. હું આ વિશે માતા-પિતાને કહેવામાં એટલી શરમ અનુભવતો હતો કે મેં ૧૦ દિવસ સુધી મારી હથેળી છુપાવી રાખી હતી. શારીરિક ઘા તો રુઝાઈ ગયા, પણ એ મારા મન અને આત્મા પર હંમેશ માટે અંકિત થઈ ગયા. તમે બાળકો સાથે કેવું વર્તન કરો છો એની અસર તેમને જીવનભર રહે છે. મારા બાળપણની ઘટનાની અસર મારી સાથે આજે પણ છે.’