Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૩૫,૦૦૦ કિલો રંગથી ૫,૦૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં છત્રપતિ શિવાજી મહારાજની રંગોળી

૩૫,૦૦૦ કિલો રંગથી ૫,૦૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં છત્રપતિ શિવાજી મહારાજની રંગોળી

Published : 13 January, 2025 02:01 PM | IST | Kolhapur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં રાજમાતા જિજાબાઈ જયંતીના અવસરે કોલ્હાપુરના વર્ણનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જાયન્ટ રંગોળી બનાવવામાં આવી હતી

છત્રપતિ શિવાજી મહારાજની રંગોળી

અજબગજબ

છત્રપતિ શિવાજી મહારાજની રંગોળી


તાજેતરમાં રાજમાતા જિજાબાઈ જયંતીના અવસરે કોલ્હાપુરના વર્ણનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની જાયન્ટ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી અત્યાર સુધીની સૌથી મોટી રંગોળી છે. પાંચ લાખ સ્ક્વેર ફુટમાં ફેલાયેલી આ રંગોળી બનાવવા માટે લગભગ ૩૫ ટન એટલે કે ૩૫,૦૦૦ કિલો જેટલા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય રંગોળી સ્થાનિક વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય વિનય કોરેની પહેલથી બની હતી. લગભગ ૩૫૦ મહિલાઓ અને વિદ્યાર્થીઓની મહેનતથી આ રંગોળી બની હતી. શિવાજી મહારાજની આ સૌથી મોટી રંગોળી જોવા માટે હવે સ્થાનિક લોકોની ભારે ભીડ જામી રહી છે. આ કદાચ સૌથી જાયન્ટ શિવાજી મહારાજની રંગોળીનો વિશ્વવિક્રમ પણ થશે, પરંતુ એની હજી ઑફિશ્યલ જાહેરાત નથી થઈ.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2025 02:01 PM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK