રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને ધીરજ રાખવાની અપીલ કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કુસ્તીબાજોએ તપાસ પર વિશ્વાસ રાખવો જોઈએ. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણીના કેસને લઈને હડતાળ પર હતા. આ સરમિયાન ભારતીય બોક્સર અને કોંગ્રેસના નેતા વિજેન્દર સિંહે પણ ભારતીય કુસ્તીબાજોને સમર્થન દર્શાવ્યું હતું.