વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરમાં એક જાહેર રેલીને સંબોધિત કરી હતી. તેમને સંબોધતી વખતે વડાપ્રધાને નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરતા વિપક્ષોને સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, `કોંગ્રેસે નવા સંસદ ભવનના નિર્માણમાં મહેનત કરનારા 60,000 કાર્યકરોનું અપમાન કર્યું છે.`