પીએમ મોદીએ ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પર એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. તેમણે બાલાસોર ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, NDRFના ડીજી અતુલ કરવલ હાજર રહ્યા હતા. વડાપ્રધાન આજે ઓડિશામાં ટ્રેન અકસ્માત સ્થળની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી કટક હોસ્પિટલમાં ઘાયલોને પણ મળશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઓડિશાના સીએમ નવીન પટનાયક ઘટના સ્થળે પહોંચ્યા હતા.