ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સર્જિકલ સ્ટ્રાઇક બાબતે રાહુલ ગાંધીએ કરી ડૅમેજ કન્ટ્રોલની કોશિશ

સર્જિકલ સ્ટ્રાઇક બાબતે રાહુલ ગાંધીએ કરી ડૅમેજ કન્ટ્રોલની કોશિશ

25 January, 2023 10:30 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાહુલે ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એ દિગ્વિજયના અંગત અભિપ્રાયો છે. ખૂબ જ સ્પષ્ટ બાબત છે કે અમે એની સાથે સંમત નથી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ આતંકવાદીઓની વિરુદ્ધ ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસ દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક બાબતે દિગ્વિજય સિંહના વિવાદાસ્પદ નિવેદન બાદ ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ડૅમેજ કન્ટ્રોલની કોશિશ કરી હતી. રાહુલે ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એ દિગ્વિજયના અંગત અભિપ્રાયો છે. ખૂબ જ સ્પષ્ટ બાબત છે કે અમે એની સાથે સંમત નથી. તેમણે (આર્મ્ડ ફોર્સિસ) કોઈ પુરાવા આપવાની જરૂર નથી. અમે આપણા આર્મ્ડ ફોર્સિસ પર વિશ્વાસ કરીએ છીએ. તેઓ તેમનું કામ અસાધારણ રીતે કરે છે.’ સોમવારે દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ‘તેઓ સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરે છે. તેમણે અનેક લોકોને મારી નાખવાનો દાવો કર્યો છે, પરંતુ કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી.’


25 January, 2023 10:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK