Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રયાગરાજની હોટલમાંથી મળ્યો યુપીના ડેપ્યુટી CMOનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?

પ્રયાગરાજની હોટલમાંથી મળ્યો યુપીના ડેપ્યુટી CMOનો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?

24 April, 2023 02:38 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

યુપીના પ્રયાગરાજની એક હોટલમાંથી ડેપ્યુટી સીએમઓ ડૉ. સુનિલ કુમાર સિંહનો મૃતદેહ મળી આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશ(Uttar Pradesh Breaking News)ના પ્રયાગરાજની એક હોટલમાંથી ડેપ્યુટી સીએમઓ ડૉ. સુનિલ કુમાર સિંહનો મૃતદેહ (UP CMO Found Dead) મળી આવ્યો છે.સુનીલ કુમારનો મૃતદેહ રૂમમાં ફાંસી પર લટકતો જોવા મળ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.જણાવવામાં આવી રહ્યું છે કે સુનીલ કુમાર બનારસના રહેવાસી હતા.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજના સિવિલ લાઈન્સ વિસ્તારનો આ મામલો છે. અહીં વિઠ્ઠલ હોટલના રૂમ નંબર 106માંથી સુનીલ કુમારનો મૃતદેહ મળી આવ્યો છે. જોતે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ આત્મહત્યા છે કે હત્યા.



મૃતક ડૉક્ટર સુનીલ કુમાર સિંહ સંચારી રોગના નોડલ અધિકારી હતા. સુનીલ કુમારનો મૃડદેહ મળ્યા બાદ આ અંગે પોલીસને તુરંત જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફૉરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. સુનીલ કુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલામાં આવ્યો છે. 


આ પણ વાંચો: Mumbai Crime: 19 વર્ષના દિકરાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મારીને કરી બાપની હત્યા, જાણો કારણ


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2023 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK