Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશમાં આંબેડકરની પ્રતિમાની તોડફોડના પગલે ભારે વિરોધ

ઉત્તર પ્રદેશમાં આંબેડકરની પ્રતિમાની તોડફોડના પગલે ભારે વિરોધ

03 January, 2023 12:23 PM IST | Muzaffarnagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નુકસાન થયેલી પ્રતિમા બદલીને નવી પ્રતિમા મૂકવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારની હેઠળ આવતા ભૂતખેડી ગામમાં રવિવારે કેટલાક અજાણ્યા લોકોએ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડતાં લોકોએ વિરોધ પ્રદ​ર્શિત કર્યો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.

સર્કલ ઑફિસર (બુઢાના) વિનય ગૌતમે ગઈ કાલે જણાવ્યું હતું કે નુકસાન થયેલી પ્રતિમા બદલીને નવી પ્રતિમા મૂકવામાં આવશે. આ ઉપરાંત પ્રતિમાને ફરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનારાં સમાજ વિરોધી તત્ત્વોને ઝડપવા સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવશે. પ્રતિમાને નુકસાન પહોંચાડવા બદલ અજાણ્યા માણસો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તથા તેમની શોધ કરવામાં આવી રહી છે.



દરમ્યાન બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની તોડફોડથી રોષે ભરાયેલા લોકોએ દોષિતો સામે કાર્યવાહીની માગણી કરી છે. અધિકારીઓએ પ્રતિમા બદલવાની ખાતરી આપ્યા બાદ વિરોધકર્તાઓ શાંત પડ્યા હતા. આ વિસ્તારમાં સાવચેતીના પગલા રૂપે વધારાની પોલીસ તહેનાત કરી સુરક્ષા-વ્યવસ્થા વધારવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 12:23 PM IST | Muzaffarnagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK