Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લખનઉમાં અપાર્ટમેન્ટ ધ્વસ્ત થયું, ૩નાં મૃત્યુ

લખનઉમાં અપાર્ટમેન્ટ ધ્વસ્ત થયું, ૩નાં મૃત્યુ

25 January, 2023 10:46 AM IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) અને એસડીઆરએફ (સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


લખનઉ : લખનઉના વઝીરહસન રોડસ્થિત અલાયા અપાર્ટમેન્ટ ઓચિંતું તૂટી પડ્યું હતું, જેમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. ઓછામાં ઓછા ત્રણ જણનાં મોત થયાં છે. આ અપાર્ટમેન્ટ ગઈ કાલે સાંજે સાત વાગ્યાની આસપાસ ઓચિંતું ધ્વસ્ત થયું હતું. એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) અને એસડીઆરએફ (સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે ઘટનાની જાણકારી મળતાં ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકને ઘટનાસ્થળે મોકલ્યા હતા. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. પાવરલાઇન્સના કારણે જેસીબીને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 10:46 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK