વૈષ્ણોદેવીની પૂજાથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે
અમિત શાહ (ફાઇલ તસવીર)
ગૃહપ્રધાન અમિત શાહની ગઈ કાલ સાંજથી શરૂ થયેલી જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતને પગલે સુરક્ષા-વ્યવસ્થા સઘન કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તેઓ વૈષ્ણોદેવીની પૂજાથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે. અહીં અમિત શાહ મંગળવારે જમ્મુ વિસ્તારમાં રાજૌરી જિલ્લામાં તથા બુધવારે નૉર્થ કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લામાં એમ બે રૅલીને સંબોધશે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક અઠવાડિયામાં બે મોટા આતંકવાદી હુમલા થયા છે.