° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


અરુણાચલ પ્રદેશમાં આર્મીનું ચીતા હેલિકૉપ્ટર ક્રૅશ, બે પાઇલટ શહીદ

17 March, 2023 11:54 AM IST | Guwahati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રૅશનાં કારણો જાણવા માટે કોર્ટ ઑફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો

શહીદ ઑફિસર્સ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને તેમના કો-પાઇલટ મેજર જયંત.

શહીદ ઑફિસર્સ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને તેમના કો-પાઇલટ મેજર જયંત.

ઇટાનગર/ગુવાહાટી : આર્મીનું એક ચીતા હેલિકૉપ્ટર ગઈ કાલે સવારે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કમેંગ જિલ્લામાં મંડાલા પાસે ક્રૅશ થયું હતું અને આ હેલિકૉપ્ટરમાં સવાર બે પાઇલટ્સ શહીદ થયા હતા. શહીદ ઑફિસર્સની લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને તેમના કો-પાઇલટ મેજર જયંત એ. તરીકે ઓળખ કરવામાં આવી છે. 

ડિફેન્સ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે કહ્યું હતું કે આ હેલિકૉપ્ટર આસામના સોનીતપુર જિલ્લામાં મિસ્સામરીથી અરુણાચલ પ્રદેશમાં તવાંગ સુધી એક મિલિટરી ઑપરેશન પર હતું. આ ફ્લાઇટે પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડ્યો હતો.રાવતે કહ્યું હતું કે આ હેલિકૉપ્ટરે સવારે સવાનવ વાગ્યે ઍર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો કૉન્ટૅક્ટ ગુમાવ્યો હતો. ઇન્ડિયન આર્મી, એસએસબી (સહસ્ત્ર સીમા બળ) અને આઇટીબીપી (ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસ)ની પાંચ સર્ચ ટીમોએ તાત્કાલિક મોકલવામાં આવી હતી. ​હેલિકૉપ્ટરનો કાટમાળ મંડાલાના પૂર્વમાં ગામ બંગલજાપ પાસે મળ્યો હતો. 

અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કમેંગ જિલ્લામાં મંડાલા પાસે ક્રૅશ થયેલા આર્મીના ચીતા હેલિકૉપ્ટરનો કાટમાળ.

આ પણ વાંચો: ત્રણ વર્ષમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના ૪૩૬ જવાનોએ સુસાઇડ કર્યું

આ ક્રૅશનાં કારણો જાણવા માટે કોર્ટ ઑફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન સેલના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ રોહિત રાજભર સિંહે કહ્યું હતું કે ગામના લોકોએ દિરાંગમાં ક્રૅશ થઈને સળગતું હેલિકૉપ્ટર જોયું હતું.

17 March, 2023 11:54 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Rahul Gandhi: માનહાનિ કેસમાં સજા બાદ રાહુલ ગાંધી લોકસભામાંથી અયોગ્ય જાહેર

લોકસભા સચિવાલય તરફથી જાહેર આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. આદેશ પ્રમાણે, સૂરતના એક કૉર્ટ દ્વારા માનહાનિના કેસમાં સજા સંભળાવ્યા બાદ કેરળના વાયનાડ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધી લોકસભાની સભ્યતા માટે અયોગ્ય પૂરવાર થાય છે.

24 March, 2023 04:02 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બહુપત્નીત્વ અને નિકાહ હલાલા સામે સુનાવણી માટે નવી બેન્ચ બનાવશે સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને નિકાહ હલાલાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી યોગ્ય તબક્કે પાંચ જજોની નવી બંધારણીય બેન્ચ કરશે.

24 March, 2023 11:41 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બીજેપીએ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર્સ મૂકીને બદલો લીધો

આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે પોસ્ટર-વૉરના કારણે દિલ્હીની દીવાલો વધુ ‘પૉલિટિકલી પ્રદૂષિત’ થઈ છે.

24 March, 2023 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK