Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩ મહિનામાં ૩ મોટા ચક્રવાત આવશે, ૪૪ વર્ષ બાદ મોટો ફટકો પડશે : ઇસરોએ આપી ચેતવણી

૩ મહિનામાં ૩ મોટા ચક્રવાત આવશે, ૪૪ વર્ષ બાદ મોટો ફટકો પડશે : ઇસરોએ આપી ચેતવણી

Published : 13 September, 2026 09:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વ્યાપક ડેટા વિશ્લેષણ પર આધારિત આ આગાહી સાવચેતી રાખવાની આવશ્યકતા પર ભાર મૂકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ વર્ષે દેશમાં એલ ‌‌નિન્યોનો મોટો પ્રભાવ મૉન્સૂન પર પડ્યો છે અને દેશનાં અનેક રાજ્યોમાં વરસાદ ઓછો પડ્યો છે. બીજી તરફ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)એ જણાવ્યું છે કે આગામી ૩ મહિનામાં ૩ મોટા ચક્રવાત આવી શકે છે. છેલ્લાં ૪૪ વર્ષમાં આવ્યા હોય એના કરતાં પણ વધારે શક્તિશાળી ચક્રવાત હોવાથી મોટું નુકસાન થઈ શકે છે.
ઇસરોના અંદાજ મુજબ આ ચક્રવાત ૨૦૨૬ના મૉન્સૂનની સમાપ્તિ સાથે હિન્દી મહાસાગરમાં તૈયાર થશે. એના પવનનો વેગ વધારે હશે અને એની સાથે ભારે વરસાદ થશે. આ માટે ૪૦ વર્ષમાં આવેલા ચક્રવાતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એના આધારે જણાવવામાં આવ્યું છે કે આ વધારે શક્તિશાળી બની રહેશે. ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમ્યાન આ ૩ ચક્રવાત તૈયાર થશે. અગાઉ આવેલા ચક્રવાત કરતાં એની તાકાત ૮૩ ટકા વધારે રહેશે. એનો અર્થ એ થાય છે કે ચોમાસા બાદ આવનારા આ ચક્રવાત દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટું નુકસાન કરશે. વ્યાપક ડેટા વિશ્લેષણ પર આધારિત આ આગાહી સાવચેતી રાખવાની આવશ્યકતા પર ભાર મૂકે છે.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK